Abtak Media Google News

ઘણા સમયથી કપિલ શર્માની તબિયત સારી નથી. થોડા સમય પેહલા જ તેમને ફરી હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. હાઇ બ્લડપ્રેશર અને લો શુગરના  કારણે તેમણે હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. કપિલે ફેસબુક લાઈવ કરીને તેમણે પોતાની તબિયતની જાણકારી આપી હતી. કપિલે તેમની અને સુનિલ વાહચ્ચેના ઝઘડાની વાત પણ કરી હતી. તેમણે વઘુમાં જણાવ્યુ કે તે સુનિલને મળ્યા હતા. ઝઘડા પછી બંને પોતાની લાઈફમાં ઘણા આગળ નિકળી ગયા છે. કપિલે જણાવ્યુ કે ઝઘડા પછી તે સુનિલ ને મળ્યો હતો. તેમણે જણાવ્યુ કે સુનિલ તેમના ભાઈ જેવો છે. તે જ્યારે પણ ઈચ્છે ત્યારે શોમાં પાછા આવી શકે છે.

Advertisement

https://www.facebook.com/kapilsharmak92481/videos/1595431997154045/

કપિલ અને સુનિલની ફલાઇટમાં ઝઘડો થયો ત્યારે કપિલ અને સુનિલ વચ્ચે હાથપાઇ પણ થઈ હતી. આ ઝઘડના લીધે સુનિલે કપિલના શોને અલવિદા કહી દીધું હતું જેની અસર કપિલના શો પર પણ પડી હતી. કપિલના શોની ટીઆરપી ઘટી ગઈ હતી. જ્યારે બીજી તરફ સુનિલ પોતાના લાઈવ શોના લીધે ઘણા લાઈમલાઇટ માં હતા. હાલમાં કપિલના શોની ટીઆરપી થોડી વધી છે ત્યારે તેમની તબિયત તેમનો સાથ દેતી નથી. હાલ કપિલના કોમ્પિટિટર ક્રુષ્ણ તેમનો નવો કોમેડી શો “ધ ડ્રામા  કંપની “ લઈને આવી રહ્યો છે જેમાં સુનિલ ગ્રોવરનો ગેસ્ટ અપિરિયન્સ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.