સોની યુવા સોશિયલ ટ્રસ્ટ ફ્રી ન્યુરો સર્જન કેમ્પનું આયોજન તા.૧નાં રોજ વિરાણી હાઈસ્કુલ સામે, નાગર બોર્ડિંગ હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મગજની બિમારી, આંચકી, કરોડરજજુ, જુના દુ:ખાવા, માથાની ઈજા, મગજની ગાંઠો, લકવો, મણકાનો દુ:ખાવો, મનોશારીરિક રોગો તથા નસના રોગ ફ્રી ચેકઅપ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરવા માટે જીજ્ઞેશ વાગડીયા મો.૯૭૨૩૩ ૯૦૯૦૯ દ્વારા કરવામાં આવશે. આ કેમ્પમાં ડો.હેમાંગભાઈ વસાવડા (મધુરમ હોસ્પિટલ), ડો.હાર્દ વસાવડા સેવા આપી રહ્યા છે.આ ન્યુરો સર્જન કેમ્પનું દિપ પ્રાગટય ઉદઘાટન ડો.હેમાંગભાઈ વસાવડા, ભાયાભાઈ સાહોલીયા, અશોકભાઈ ઝીંઝુવાડીયા, પ્રભુદાસભાઈ પારેખ, ચીમનભાઈ લોઢીયા તથા અતિથિ વિશેષ તરીકે ડો.હર્ષિત રાણપરા, ડો.ચમનભાઈ પાટડીયા, કનુભાઈ પાટડીયા, નવનીતભાઈ પાટડીયા, રાજુભાઈ રાણપરા, વર્ષાબેન રાણપરા, પઘ્ધાબેન આડેસરા, રંજનબેન પારેખ, પુનીતાબેન પારેખ, પ્રફુલાબેન સોની, રવિકુમાર સૈની, દિનેશભાઈ પારેખ, અરવિંદભાઈ પાટડીયા, કેતનભાઈ આડેસરા, હસમુખભાઈ મોડેસરા, કિશોરભાઈ બારભાયા, ધર્મેશભાઈ પારેખ વગેરે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સોની યુવા સોશિયલ ટ્રસ્ટનાં પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા, ઉપપ્રમુખ રાજેશ પાટડીયા, સહમંત્રી હરેશભાઈ ભુવા, ખજાનચી શૈલેષભાઈ પાટડીયા, સહિતનાં સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ