Abtak Media Google News

ગુજરાત પ્રદેશ સમાજવાદી પાર્ટીના ઉપપ્રમુખ પદે ભીખાભાઈ હેરમાની વરણી, પ્રદેશ મહાસચિવ પદે પ્રકાશભાઈ છૈયા

સમાજવાદી ગુજરાત પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રસિંહ યાદવ દ્વારા આજરોજ રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના જાણીતા બિલ્ડર ભીખાભાઈ હેરમાએ રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવના કરેલા વિકાસ કાર્યોી પ્રભાવિત થઈને પોતાના સર્મકો સાથે સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રસિંહ યાદવ દ્વારા ભીખાભાઈ હેરમાને ગુજરાત પ્રદેશ સમાજવાદી પાર્ટીના ઉપપ્રમુખ બનાવી સન્માનીત કરવામાં આવ્યા અને પ્રદેશ મહાસચિવ પદે પ્રકાશભાઈ છૈયાની વરણી કરવામાં આવી છે.

પત્રકાર પરિષદને સંબોધતા સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રસિંહ યાદવે જણાવેલ હતું કે, સમાજવાદી પાર્ટી હવે સતત જનતાના કામો કરવા માટે તત્પર છે. ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રાંત પ્રશ્ર્નેા જેવા કે ખેડૂતોને તેના પાકના પોષણક્ષમ ભાવ ન મળવા, પાક વિમામાં તો ભ્રષ્ટાચાર, રાસાયણીક ખાતરમાં બેફામભાવ વધારો, સરકારી નોકરી ભરતી પ્રક્રિયા સફળતાપૂર્વક કરાવવા સરકાર નિષ્ફળ સહિતના મુદ્દા ઉપર પત્રકાર પરિષદમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી. આ ઉપરાંત દિલ્હીમાં ચાલી રહેલા વર્તમાન મુદ્દાને લઈ ત્યાંની સરકાર કાયદો વ્યવસ્થા જાળવવા નિષ્ફળ રહી છે. સમાજ વાદી પાર્ટી દ્વારા આવા દેશ વિરોધી તાકાત સામે લડવા તૈયાર છે. દિલ્હીમાં યેલા કોમી રમખાણોમાં પીડીત પરિવારના દુ:ખમાં અમો તેઓની સાથે છીએ જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે અને તેમની સો અમારી સંવેદનાઓ છે. આગામી દિવસોમાં સમાજવાદી પાર્ટી જનતાના પ્રશ્ર્નોને વાચા આપવા અને સમસ્યાનો અસરકારક નિવારણ માટે તત્પર છે તેમ ગુજરાત પ્રદેશ સમાજવાદી પાર્ટીના પ્રમુખ સુરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.