સમગ્ર મુસ્લિમ સમાજમાં હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે આજે ગુરુવારે મિસરી કેલેન્ડર મુજબ દાઉદી વ્હોરા સમાજમાં બાવીસમું રોઝુ છે હાલ કોરોના વાઇરસથી લોકડાઉન હોવાથી સરકારના આદેશ મુજબ મુસ્લિમો પોત પોતાના ઘરોમાં રમઝાન માસના ધાર્મિક કાર્યો કરી રહ્યા છે. ગામો ગામના વ્હોરા બિરાદરો દેશ અને દુનિયા સાથે ગુરુવારે પોતાના ઘેર પોતાના પરિવાર સાથે સૂર્યોોદયથી સૂર્યાસ્ત સુધી સોશ્યલ ડિસ્ટરન્સ જાળવી અલ્લાહની બંદગી કરશે. ઇસ્લામ ધર્મમાં પવિત્ર લેખાતી રાતો પૈકી લઇલતુલકદ્ર રાત્રી આજે હોવાથી રોઝદારોમાં ઉત્સાહ બેવડાયો છે. દર વર્ષે આ રાતમાં વ્હોરા મસ્જિદોમાં નયનરમ્ય રોશની અને ફૂલોથી શણગાર થતો હોય છે પણ આ વર્ષે વિશ્ર્વભરમાં કોરોના વાઇરસએ હાહાકાર મચાવતા દાઉદી વ્હોરા સમાજના ત્રેપનના દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુસૃસાદીક આલિકદર મુફદલ સૈફુદ્દીન સાહેબએ (ત ઉ શ) કેન્દ્ર અને રાજય સરકારના આદેશ મુજબ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ કરતા લાંબા સમયથી વ્હોરા મસ્જિદો બંધ હોવાથી બિરાદરો હાલ ઘરોમાં જ ઇબાદત કરવાની સાથે દાન પુણ્ય કરી રહ્યા છે અને પવિત્ર રમઝાન માસ પસાર કરી રહ્યાં છે જોગાનુ જોગ આજની રાત્રીમાં જ તાજદાર માનવતા વાદી ડો. સૈયદના સાહેબનો ૭૭મો જન્મદિવસ હોય એટલે સૌને પે સુહાગા જેવા ઘાટ ઘડાયો છે. વિશ્ર્વમાં કોરોના વાઇરસ હટી જેટલા દર્દીઓ છે તેઓની તબિયતમાં સુધારો થાય દેશ રાજયની પ્રગતિ હજુ વધું થાય અને ડો. સૈયદના સાહેબના સ્વાસ્થ્ય અને દીર્ધાયુ માટે આજે આ રાતમાં સૌરાષ્ટ્ર સહિત વિશ્ર્વમાં લાખો વ્હોરા બિરાદરો ઇબાદત બાદ દુઆ પ્રાર્થના કરશે. આજે રાત્રીના લઇલતુલકદ્ર પવિત્ર રાત્રીની બંદગીને લઇ બિરાદરોમાં અનેરો આનંદ છવાયો છે.
Trending
- યાર…આ શોપિંગ અને રીલનું વ્યસન તો વધતું જ જાય છે
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો