Abtak Media Google News

દર વર્ષે સમગ્ર દેશમાં ર૧ મે ના દિવસે આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે તે અંતર્ગત મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના તમામ કર્મચારીઓ દ્વારા શપથ લેવાયા હતા.

Advertisement

આતંકવાદ વિરોધી દિન નિમિત્તે તમામ સરકારી-જાહેર ક્ષેત્રની કચેરીઓમાં આતંકવાદ અને હિંસાનો પૂરી તાકાતથી વિરોધ કરવા માનવજાતિના તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદભાવ તથા મનમેળ કાયમ રહે તેમજ માનવજીવનના મૂલ્યો સામે આવનારા જોખમો અને વિઘટનકારી શક્તિઓ સામે લડવા માટે એકજુ બનીને શપથ પણ લેવડાવવામાં આવે છે. મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસને કોન્ફરન્સ હોલમાં સોશ્યિલ ડિસટન્સના નિયમોનું પાલન કરી અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા શપથ લેવાયા હતા. આ તકે અધિક જિલ્લા કલેક્ટર કેતન પી. જોષી, નાયબ કલેક્ટર એચ.જી. પટેલ, મામલતદાર બી.બી. કાસુન્દ્રા સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.