હાલ કોરોના વાઇરસ મહામારી ચાલી રહી છે, આ વાઇરસને માત આપવા માટે માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધુ પ્રમાણમાં હોવી જરૂરી છે. તે બાબતને ધ્યાને લઇ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૦૧-૦૭-૨૦૨૦ ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતેથી કુલ ૧૫ ધનવંતરી રથનું માન. મેયર બિનાબેન આચાર્ય, ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, વિગેરેના વરદ હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે નાયબ કમિશનર બી. જી. પ્રજાપતિ, આરોગ્ય અધિકારી ડો. રીન્કલ વીરડીયા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. ભૂમિબેન પીપળીયા તેમજ શાસક પક્ષના કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. આજથી શરુ કરાવેલ ૧૫ ધનવંતરી રથ દ્વારા શહેરના ક્ધટેઇનમેન્ટ ઝોન અને ગીચતા ધરાવતા વિસ્તારોમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. તેમજ દરેક રથમાં થર્મલ ગન અને પલ્સ ઓકસીમીટર દ્વારા સ્ક્રીનીંગ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. પ્રસ્થાન સમયે તમામ લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રથ મારફત શહેરમાં કોરોના અંગેની જાગૃતતા માટે પ્રચાર-પ્રસારની કામગીરી પણ કરવામાં આવશે. જો કોઇ શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દી માલુમ પડશે તો તેને વહેલીતકે વધુ સારવાર આપવામાં આવશે અને તેનું ટેસ્ટીંગ પણ કરવામાં આવશે.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા