રાજકોટ જિલ્લાશિક્ષણ અધિકારી કચેરી (DEO OFFICE) ના નવપ્રસ્થાન- સ્થળાંતર માટે આજે ગુરુપૂર્ણિમાના શુભ દિને કરણસિંહજી હાઈસ્કુલમાં કુંભ સ્થાપન, ગણપતિ તથા સરસ્વતી પૂજન અને આરતી થયા હતા. DEO શ્રી ઉપાધ્યાય સાહેબના સદ્દઆગ્રહથી વિરાણી હાઈસ્કૂલના અધ્યાપક ડો.કૃષ્ણકુમાર (શાસ્ત્રી) મહેતાએ શાસ્ત્રોક્ત પૂજનવિધિ કરી હતી. પૂજાવિધિમાં DEO શ્રી ઉપાધ્યાય સાહેબ, DPEO શ્રી મેહુલભાઈ વ્યાસ, DEO કચેરીના સિનિયર E. I. વિપુલભાઈ મહેતા દંપતિ વગેરે સંમિલિત થયા હતા. આ પ્રસંગે આચાર્ય સંઘના પ્રમુખ સંજયભાઈ પંડ્યા,સિદ્ધરાજસિંહ ઝાલા, ડી.ઇ.ઓ. ઓફિસનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આગામી દિવસોમાં ડી.ઇ.ઓ.કચેરીનું કરણસિંહજી હાઈસ્કુલમાં સ્થળાંતર થશે.
Trending
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા
- ‘તારાથી મારી ગાડી કેમ ચેક થાય?’: NSUI પ્રમુખે પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ
- મેડિકલ માલ-સામાનની આડમાં લાવવામાં આવેલો રૂ.16.43 લાખનો દારૂ કબ્જે
- નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પૂર્વે એડવાન્સ ફી વસૂલતિ અમદાવાદની શાળાને નોટિસ
- મે મહિનામાં કાળઝાળ ગરમી પડશે: 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર
- વાંકડિયા વાળને ધોયા વિના પણ ફ્રેશ દેખાવ આપો
- ઈન્દોરમાં કોંગ્રેસના અક્ષય કાંતિ બામે ઉમેદવારી પાછી ખેંચી, પછી શું થયું એ જાણો અહી