Abtak Media Google News

રાજકોટ જિલ્લાશિક્ષણ અધિકારી કચેરી (DEO OFFICE) ના નવપ્રસ્થાન- સ્થળાંતર માટે આજે ગુરુપૂર્ણિમાના શુભ દિને કરણસિંહજી હાઈસ્કુલમાં કુંભ સ્થાપન, ગણપતિ તથા સરસ્વતી પૂજન અને આરતી થયા હતા. DEO શ્રી ઉપાધ્યાય સાહેબના સદ્દઆગ્રહથી વિરાણી હાઈસ્કૂલના અધ્યાપક ડો.કૃષ્ણકુમાર (શાસ્ત્રી) મહેતાએ શાસ્ત્રોક્ત પૂજનવિધિ કરી હતી. પૂજાવિધિમાં DEO શ્રી ઉપાધ્યાય સાહેબ, DPEO શ્રી મેહુલભાઈ વ્યાસ, DEO કચેરીના સિનિયર E. I. વિપુલભાઈ મહેતા દંપતિ વગેરે સંમિલિત થયા હતા. આ પ્રસંગે આચાર્ય સંઘના પ્રમુખ સંજયભાઈ પંડ્યા,સિદ્ધરાજસિંહ ઝાલા, ડી.ઇ.ઓ. ઓફિસનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આગામી દિવસોમાં ડી.ઇ.ઓ.કચેરીનું કરણસિંહજી હાઈસ્કુલમાં સ્થળાંતર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.