રાજકોટ શહેરમાં રૈયા રોડ ખાતે આમ્રપાલી સિનેમા સામે, વૈશાલીનગર શેરી નં.૫માં પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહથી નવ્ય ધર્મસંકુલનું આયોજન નિર્માણાધીન છે. સંયોજક તારક વોરા અને ભારતેશ કામદારના જણાવ્યાનુસાર આશરે ૫૫૦ વારના પ્લોટમાં ૧૦ હજાર સ્કવેર ફીટના બાંધકામમાં ૪ માળનું નિર્માણ કરાશે. જેમાં લાભકુંવરબેન મથુરાદાસ કામદાર (અમેરીકાવાળા) સુવિધિનાથ જૈન ઉપાશ્રય અને દલીચંદ નૈમચંદ કામદાર અને અશોકભાઈ પારેખ (દુબઈવાળા) પ્રેરિત આયંબિલ ભવન તેમજ જૈન સેન્ટર હોલ વગેરેનું નિર્માણ થશે. આર્કિટેકટ દિલીપ પારેખના નેતૃત્વમાં નિર્માણ નિયોજક નીલેશ બાટવીયા વગેરે કાર્યરત છે. નૂતન સંકુલમાં નામકરણ વગેરે યોજનામાં સહભાગી થવા ઇચ્છુકોએ મો.૯૩૨૨૨ ૬૧૧૨૪, ૯૯૭૯૨ ૩૨૩૫૭ નો સંપર્ક કરવો. રજનીભાઈ બાવીસી વગેરેના માર્ગદર્શન હેઠળ નિર્માણ પ્રગતિના પંથે છે.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!