જસદણમાં રાત્રીને દિવસ સમજનારા અને ગામના પાટીયા પર બેસી ગામની જ કૂથલી કરનારાઓ પર રાત્રી કફર્યુના કારણે ગત રાત્રીના નાયબ મામલતદાર ઝાલાએ ઘોસ બોલાવતા પાટીયા પર બડાઇ ફેકનારાઓને રીતસર ગલી ખાતામાં સંતાઇ જવું પડયું એવી સ્થિતિ સર્જાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં કોરોનાથી લોકોમાં ભારે ફફડાટ છે લોકોના વેપાર રોજગારમાં પણ મંદી છે જીવલેણ કોરોના વાઇરસને લઇ હાલમાં અનલોક-ર માં રાત્રી કફર્યુ હોવા છતાં કેટલાંક રખડુઓ રાત્રીના મોડે સુધી પાટીયા પર બેઠી કુથલીમાં વ્યસ્ત રહેતા અને સંક્રમણ પેદા કરી રહ્યાની રાવને લઇ ગત રાત્રીના નાયબ મામલતદાર ઝાલાએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી રખડુઓને કાયદાનું ભાન કરાવવા પોલીસને સોંપ્યા હતા. કફર્યુની ઐસી તૈસી કરનારાઓને રાત્રીના ભાગવું ભારે થઇ પડયું હતું અને પોલીસ મથકે પોતાના સંબંધીઓને ફોન રણકાવવાની નોબત આવી હતી.
Trending
- નશાનો કાળો કારોબાર : સુરત SOG એ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પડ્યો
- પરિણામ માટે ર7 દિવસનો ઇંતજાર: નેતાઓના જીવ અઘ્ધર
- અક્ષય તૃતીયા પર બનતા શુભ સંયોગથી આ રાશિના જાતકોને થશે લાભ
- Appleના Let Loose Eventમાં કંપનીએ લોન્ચ કર્યા નવા અને અત્યધુનિક ઉપકરણો…
- સોમનાથના દરિયામાં 18 વર્ષીય યુવાન તણાયો
- મતદાન વેળાએ વડાપ્રધાનનો રોડ શો જેવો માહોલ: આચારસંહિતાનો ભંગ
- તેલંગણામાં ભાજપ માટે સારા સંકેતો : બેઠક વધવાના એંધાણ
- વર્ષી તપના તપસ્વીઓ અક્ષય તૃતીયાના દિવસે તપની કરશે પુર્ણાહુતિ