આજે શ્રાવણ વદ અંધારી ચોથ એટલે બોળ ચોથ. વર્ષોની પરંપરા અનુસાર બહેનોએ બોળ ચોથ વ્રત નિમિતે એકરંગી ગાય-વાછરડાનું પૂજન કર્યું. બોળ ચોથ નિમિતે બહેનો પરોઢીયે અથવા તો ઢળતી સાંજે વળતી ગાય સાથે તેના વાછરડાનું પૂજન કરતી હોય છે. આજે બોળ ચોથ નિમિતે બહેનો ખાંડીને કે કાપીને ખવાતા ખોરાકનો ત્યાગ કરશે. માત્ર મગ અને રોટલાનું એકટાણું કરી વિધિપૂર્વક વ્રત કથાનું પઠન કરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. આજે બોળ ચોથ નિમિતે શહેરની બહેનોએ એકરંગી ગાય-વાછરડાનું ભકિતભાવપૂર્વક પૂજન કરી બોળ ચોથનું વ્રત કર્યું. ગાય-વાછરડાનું કંકુ-ચોખા નાગલા વડે પૂજન બાદ બહેનોએ સાથે મળીને બોળ ચોથ વ્રત કથાનું વાંચન કરી બોળ ચોથ ‘ર્માં’ વહુરાણીને વળ્યા એવા સહુને ફળજોની પ્રાર્થના કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે