Abtak Media Google News

જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૦ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂા. ૬૨૩.૫૦ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.

Advertisement

ઉના તાલુકાના ગુંદાળા, કોઠારી, સુત્રાપાડા તાલુકાના કદવાર, વેરાવળ તાલુકાના ભાલપરા, બીજ, સીડોકર, આંબલીયાળા, ગીરગઢડા તાલુકાના ખીલાવડ અને કોડીનાર તાલુકાના ફાચરીયા અને કદવાર ગામને પાણી પુરૂ પાડવામાં આવશે. તેમજ ૫૫૮૫ ઘરોમાં નળ કનેકશન આપવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પ્રજાપતિ, આરોગ્ય વિભાગના ડો.નિમાવત, વાસ્મો યુનિટ મેનેજર વી.એન.મેવાડા, પા.પૂ. કાર્યપાલક ઇજનેર એન.એચ.રાઠોડ, જિલ્લા કોર્ડીનેટર અલ્કા મકવાણા,  ટેકનિકલ મેનેજર મુકેશભાઈ બલવા, સોશ્યલ મેનેજર રામભાઇ ખાંભલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.