મનપા દ્વારા ઘરે ઘરે જઈને સેવાઓ આપવામાં આવે છે. જેમાં કાલે ૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૫૨૬૦૨ ઘર કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા જેમાંથી ૩૭ વ્યક્તિઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ આપવામાં આવી હતી. ૫૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે, જેમાં રોજ સરેરાશ ૨૩૨ ની ઓ.પી.ડી. સહીત ૧૧૬૧૭ વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૫૯૩ વ્યક્તિઓની ઓ.પી.ડી. નોંધાયેલ છે. શહેરીજનો માટે શરૂ કરેલ ૧૦૪ સેવા અંતર્ગત તા. ૨૪ મી ના રોજ કુલ ૧૯૨ ફોન આવેલ છે અને તમામ વ્યક્તિઓને સેવા ઉપલબ્ધ કરાવેલ છે, જેમાં ફોન કરનારને સરેરાશ માત્ર ૫૨ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે. આ જ રીતે ૧૦૮ સેવા માં ૪૪ ફોન આવેલ છે અને તેમાં પણ સરેરાશ માત્ર ૧૮.૫૦ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવી છે. હોમ કવોરન્ટાઇન રહેલા દર્દીમાં માટે મનપા દ્વારા કાર્યરત ૨૩ સંજીવની રથ દ્વારા તા. ૨૪ ના રોજ ૬૮૮ ઘર કુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી.
Trending
- NEET પેપર લીક થયું! બિહારથી રાજસ્થાન સુધી હંગામો…
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે
- વિશ્વની સૌથી મોટી ચૂંટણીના સાક્ષી બનવા 23 દેશોના 75 પ્રતિનિધિઓ ભારત પહોંચ્યા
- સસ્તા ફોન બાદ હવે રિલાયન્સ લાવશે સસ્તું AC, ઈશા અંબાણી નવી પ્રોડક્ટ લોન્ચ કરવા તૈયાર
- ધો.10ના બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ 11માં ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં પણ પ્રવેશ મેળવી શકશે
- આજે કતલની રાત…મતદારોને મનાવવા મથામણ
- ICSE, ISCના 10મા અને 12માના પરિણામો જાહેર, જાણો શું આવ્યું પરિણામ?
- જયશ્રી રામ: ભાજપ તરફી પ્રચંડ મતદાન કરી નરેન્દ્રભાઇના હાથ વધુ મજબૂત બનાવવા નરેન્દ્રબાપુની અપિલ