રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આગામી તા.૧૩મીથી દિવાળીની રજાઓ પડનાર છે ત્યારે રજા આડે હવે એક દિવસ બાકી રહ્યો હોય ત્યારે આવતીકાલે એક માત્ર કપાસની આવક યાર્ડમાં આવવા દેવામાં આવશે. એ સિવાયની એક પણ જણસી હવે યાર્ડમાં વેચાણ અર્થે લાવી શકાશે નહીં.રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રજા અગાઉ તમામ ખરીદ વેચાણ હરરાજીનું કામ આટોપી લેવાનું હોય ત્યારે હવે રજા પૂર્વે એટલે કે આવતીકાલે એક માત્ર કપાસની આવક આવવા દેવામાં આવશે. આ સિવાયની અનય જણસી ઘંઉ, ચણા, બાજરો ઉપરાંત અનાજ, કઠોળ વેચાણ અર્થે ખેડુતો લાવી શકશે નહિ, માકેટીંગ યાર્ડમાં કાલ સુધીમાં તમામ હરરાજીનં કામ પૂર્ણ કરી લેવાશે, હાલ એક માત્ર કપાસની આવક વધુ પ્રમાણમાં હોય ત્યારે ખેડુતો પોતાનો કપાસ જ યાર્ડમાં ઠાલવી શકશે. તા.૧૩ થી ૧૮ નવેમ્બર દરમ્યાન યાર્ડનું સંપૂર્ણ કામકાજ બંધ રહેવા પામશે. અને તા.૧૯ને લાભ પાંચમથી રાબેતા મુજબ કામગીરી શરૂ કરાશે તેમ સુત્રોમાથી જાણવા મળ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ