જૂનાગઢ નજીક આવેલા પવિત્ર ગરવા ગિરનાર એટલે તેત્રીસ કરોડ દેવતાનો જયાં વાસ થાય છે અને સિદ્ધ પુરુષો, સંતો, ઓલીયાઓ જ્યાં બિરાજે છે અને જગત જનની માં અંબાજીના બેસણા છે તેમજ ભગવાન ગુરુદત્તની જ્યાં પવિત્ર ભૂમિ આવેલી છે તેવા ગિરનાર ક્ષેત્રમાં આવતીકાલે મંગળવારે દત્ત જયંતિના પવિત્ર પ્રસંગે માં અંબાજીની મહાપૂજા અને દત્ત યજ્ઞના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત ઉપર બિરાજમાન અંબાજી શક્તિપીઠ ખાતે આવતીકાલે મંગળવાર તા. ૨૯/૧૨/૨૦ ના રોજ માગશર સુદ પૂર્ણિમા દિવસે દત્ત જયંતિની ઉજવણીના પવિત્ર પ્રસંગે માં અંબાજી ની મહાપૂજા તથા જીર્ણોદ્વાર કરવામાં આવેલી નૂતન યજ્ઞશાળામાં દત્ત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ અંગે વિગત આપતા મહંત મોટાપીર બાવા તનસુખગીરી મહારાજ અને મહંત નાના પીર બાવા ગણપતગીરી મહારાજ જણાવે છે કે, આ ધાર્મિક અનુષ્ઠાનનો પ્રસાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ સ્વરૂપે મોકલવામાં આવશે આ ધાર્મિક સમારંભમાં ઉપસ્થિત રહેનાર તમામ શ્રદ્ધાળુઓને કોવિડ ૧૯ ના નિયમ મુજબ ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે. આ સમારંભ સવારે ૯:૩૦ થી બપોરના ૧૨:૩૦ દરમિયાન અંબાજી મંદિર ગિરનાર જૂનાગઢ ખાતે યોજાશે.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!