ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરસ્વતી લોક સંગીત અને નૃત્ય કલાવૃંદ ટ્રસ્ટ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન કાર્યક્રમ “પાગલ છે જમાનો ફુલોનો”નું આયોજન થયું હતું. આ કાર્યક્રમ કવિ શુન્ય પાલનપુરીની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કવિ તરીકે રાજેન્દ્ર ભટ્ટ, જયંત કોરડીયા, હરેશ સોંદરવા, સુનીતા શ્રીમાળી, નાથાલાલ પરમાર અને કમલેશ જેઠવા અમર આ બધા કવિઓએ પોતાની કવિતાના ઓજસ પાથર્યા હતા. કાર્યક્રમમાં સાહિત્ય અકાદમીના મહામંત્રી ડો. હિમ્મત ભાલોડીયાએ ઓનલાઇન હાજરી આપીને કાર્યક્રમને બિરદાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંયોજક સંસ્થા સરસ્વતી લોક સંગીત અને નૃત્ય કલાવૃંદ ટ્રસ્ટ જૂનાગઢના પ્રમુખ શારદાબેન બારોટ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને બહોળી સંખ્યામાં શ્રોતાઓએ ઓનલાઇન ઇ-માધ્યમથી નિહાળ્યો હતો.
Trending
- લેબમાં બનાવેલા ડાયમંડની કિંમતમાં જબરદસ્ત કડાકો
- જામનગરની કલેક્ટર કચેરીએ ઈરાનના રાષ્ટ્રપતિના નિધન પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો
- સોનાએ રૂ.77,000ની સપાટી વટાવી તો ચાંદીની રૂ.1 લાખ તરફની દોટ
- એરપોર્ટ પરથી ઝડપાયેલા 4 આતંકીઓ સાથે જોડાયેલા ‘સ્થાનિક ગદ્દારો’ કોણ?
- ક્યારેય વિચાર્યું છે કે, અજાણ્યા લોકો શા માટે આપણા જીવનમાં આવતા હોઈ છે..!
- રાજકોટ: જનાના હોસ્પિટલની બેદરકારીથી માસુમનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ
- જામનગર : PGVCL દ્વારા સ્માર્ટ ડીઝીટલ મીટર સંદર્ભ વિશેષ પ્રયોગ કરાયો
- સુરતમાં હત્યારાઓ બન્યા બેફામ,ડીંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી