Abtak Media Google News

પ્રમુખ મનસુખભાઇ રાબડીયા સહિત ટીમની યુદ્ધના ધોરણે કામગીરી

જિલ્લામાં હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લેઉવા પટેલ સમાજ જામનગર દ્વારા 50 બેડ સાથેનું આઇસોલેશન સેન્ટર  શરૂ કરવામાં આવ્યું છે જ્ઞાતિજનોને હોમ આઈસોલેશન સુવિધામાં પડતી અગવડને ધ્યાનમાં લઇ ભોજન તથા નાસ્તા સહિતની વ્યવસ્થા સાથે જ્ઞાતિજનોના સહકારથી ટૂંક સમયમાં જ તેની શરૂઆત કરવામાં આયોજન હાથ ધર્યું છે.

Img 20210505 Wa0001
રણજીત નગર સમાજ ભવન ખાતે જ્ઞાતિના પ્રમુખ મનસુખભાઇ રાબડીયાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં કોર્પોરેટર પાર્થ કોટડીયા દિવ્યેશ અકબરી ડો.મહેશ દુધાગરા, ડો.નિકુંજ ચોટલીયા, ડો.વસંતભાઈ  મુંગરા, ડો.કે.એચ. મકવાણા, ડો.રુચિ વિરાણી, ડો.રાજેન્દ્ર વિરાણી, ડો. તરુણ વિરાણી, ડો.જૈમીન  શહીદ જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યાં હતા. આ તકે લેવા પટેલ સમાજ ના પ્રમુખ મનસુખભાઈ કાપડિયા એ શહેરમાં તબીબી સેવા ને સાથે જોડાયેલ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને આ સેવા કાર્યમાં સહભાગી થવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.