જામનગરમાં મહાનગર પાલિકાના ફાયર સ્ટેશને ચીફ ફાયર ઓફીસરના માર્ગદર્શન હેઠળ શહેરની કોવિડ અને નોનકોવિડ હોસ્પિટલના તબીબો, નર્સ, સિકયોરીટી, સફાઇ કામદાર સહિત 144 કર્મચારીઓને હોસ્પિટલોમાં આગના બનાવ સમયે ફાયર એક્સ્ટીગ્યુશર, ફાયર હાઇડ્રેન્ટ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે હોસ્પિટલોના વોર્ડમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાય રહે તે માટે આઇસીયુ અને જનરલ વોર્ડમાં શકય હોય ત્યાં સુધી વધારે બારીઓ ખુલ્લી રાખવા, હોસ્પિટલોમાં પડદા, બેડશીટ, વિગેરે ફાયર રીટાર્ન્ડટ મટીરીયલ વાપરવા સૂચના આપી હતી. ખાસ કરીને હોસ્પિટલોમાં આઇસીયુ વોર્ડમાં કોઇપણ જગ્યાએ સેનેટાઇઝરનો સંગ્રહ ન કરવા અને જાહેરમાં વોર્ડની બહાર રાખવા તાકીદ કરી હતી. હોસ્પિટલોમાં ઇમરજન્સી સમયમાં દરેક વોર્ડમાં બેટરી સંચાલિત લાઇટોની વ્યવસ્થા રાખવા, દરેક વોર્ડમાં એક્ઝીટ રૂટ માર્કર, સેફટીને સંબધિત ઓટો-ગ્લો સાઇન બોર્ડ લગાવવા સહિતની સૂચના અપાઇ હતી.
Trending
- બાબા રામદેવને મોટો ફટકો : પતંજલિ આયુર્વેદની 14 વસ્તુઓનું લાઇન્સસ રદ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન