Abtak Media Google News

આતંકવાદીઓ દ્વારા ભારત અને ખાસ કરી જમ્મુ કાશ્મીરને નિશાન બનાવી હુમલો કરવામાં આવે છે. નાપાક પાકનો એમાં ખાસ ફાળો રહેલો જેનાથી કોઈ અજાણ નથી. આંતકવાદીઓ ખાસ પુલવામાને ટાર્ગેટ કરતા હોય તેમ અહીં હુમલાઓ વધી રહ્યા છે. ત્યારે હાલ સેના પર વધુ એક હુમલો થયો છે.

હાલમાં મળતી માહિતી મુજબ આતંકવાદીઓને ફરી પાછો પુલવામાં હુમલો કર્યો છે. આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં હુમલો કર્યો છે. સુરક્ષા દળોની સંયુક્ત નાકા પાર્ટીને નિશાન બનાવવામાં આવી હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, આ હુમલામાં કોઈ નુકસાન થયું નથી. આતંકવાદીઓ હુમલા બાદ નાસી ગયા, તેથી તેની શોધખોળ માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે.

આતંકીઓએ પુલવામાં નાકા પાર્ટી પર તૈનાત સૈનિકોને નિશાન બનાવી હુમલો કર્યો હતો. જો કે સૈનિકોની જાગૃતા અને સતત ઓપરેશનના કારણે દુશ્મનોના વારને સેના નિષ્ફળ બનવવામાં સફળ રહી છે. પરંતુ આતંકીઓ ઘટનાસ્થળ પરથી છટકી ગયા હતા. હાલમાં સેના દ્વારા હુમલાખોરોને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.