Abtak Media Google News

વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ અને ફ્રિન્જ પપૂર્વ ભારતીય બેટ્સમેન રાહુલ દ્રવિડની સલાહ હેઠળ વય જૂથ ક્રિકેટમાં અથવા તો ઇન્ડિયા-એ ટૂર્સમાં રમ્યા છે.  તેમાંથી એક વિજેતા ભારતીય અંડર -19 2018ની ટીમનો કેપ્ટન પૃથ્વી શો છે, જેણે સમય-સમય પર સ્વીકાર્યું કે રાહુલ દ્રવિડ તેની રમત પર મોટો પ્રભાવ રહ્યો છે.

રાહુલ દ્રવિડ તે સમયે અંડર -19 સેટઅપ અને ભારત-એ ટીમ બંનેનો કોચ હતો અને શોની કેપ્ટનશિપ અને તેના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસમાં પોતાનું ચોથું અંડર -19 ખિતાબ જીત્યું હતું. ત્યારબાદ શોએ વરિષ્ઠ ભારતીય ટીમ તરફથી રમવાનું શરૂ કર્યું હતું. તેણે વિજય હઝારે ટ્રોફીમાં રેકોર્ડ તોડ્યો અને શિખર ધવન સાથે દિલ્હીની ટીમ માટેના ઓર્ડરની ટોચ પર શાનદાર શરૂઆત કરી.

ક્રિકબઝ સાથે વાત કરતાં શોએ યુવાનોની વૃદ્ધિમાં દ્રવિડની ભૂમિકા અને તેની કોચિંગની પ્રક્રિયા વિશે વાત કરી. વર્લ્ડ કપ અંડર-19 પહેલા પણ અમે સર(દ્રવિડ)ની સાથે ગયા હતા.  તેણે ક્યારેય કોઈ પણ ખેલાડીને તેના જેવા બનવાની ફરજ પાડી નથી. તેણે બેટિંગમાં કંઈ પણ બદલાવ કરવા પણ કહ્યું નથી. તેમણે હંમેશા મને મારી નેચરલ રમતને વળગી રહેવા કહ્યું છે.

તેઓ મોટે ભાગે માનસિક સ્થિતિ, વ્યૂહરચના અને રમતમાં કેવી રીતે સંપર્ક કરવો તે વિશે વાત કરે છે.  તેઓ ક્યારેય વધુ બોલતા નથી. જો આપણે ભૂલોનું પુનરાવર્તન કરીએ છીએ ત્યારબાદ તેઓ અમને તે વિશે સમજણ પુરી પાડે છે. શોએ તેવું પણ જણાવ્યું હતું કે, યુવા ખેલાડી દિગ્ગજ બેટ્સમેનથી થોડા ડરતા હોય છે પરંતુ તેની ઓફ ધ ફિલ્ડની વ્યકિત સંપૂર્ણપણે અલગ હતી અને તે તેમની સાથે એકદમ મૈત્રીપૂર્ણ હતો.

રાહુલ સર સાથે તમારે શિસ્તબદ્ધ રહેવું પડશે તેવું મને અગાઉ લાગતું હતું, અમને તેમનાથી થોડો ડર પણ લાગતો હતો. જેનાથી વિપરીત તેઓ મેદાનની બહાર અમારી સાથે એકદમ મૈત્રીપૂર્ણ રીતે રહે છે. મને ખાતરી છે કે તેઓ અંડર-19 ક્રિકેટ ફોર્મેટમાં અમારા કોચ રહી ચૂક્યા છે જેથી આગામી મેચોમાં અમારી પાસે શું કરાવવું તેઓ તે બાબતથી પરિચીત છે. નોંધનીય છે કે, શ્રીલંકન પ્રવાસ પર દ્રવિડ ભારતીય ટીમના કોચ જાહેર કરાયાં છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.