Abtak Media Google News

કોરોના વાયરસની ઘાતકી સાબિત થયેલી બીજી લહેર હવે અંત તરફ હોય તેમ નવા કેસ ઘટી રહ્યા છે. તો સામે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. આ જોતા હવે સરકારે રાહતનો શ્વાસ લઈ લોકડાઉન જેવા કડક નિયમો હળવા કરવાનું શરૂ કર્યું છે. નાના અને મધ્યમ વર્ગીય વેપારીઓને સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ તેમજ રાત્રી કરફ્યૂ એક કલાક ઘટાડયા બાદ હવે હોટેલ અને રેસ્ટોરન્ટને 12 કલાક ખુલ્લા રાખવાની છૂટ આપી દેવાઈ છે.

Advertisement

હોટેલ અને રેસ્ટોરન્ટ હવે સવારના 9 વાગ્યા થી રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જો કે આ સમયગાળા દરમિયાન હજુ કોઈ વ્યક્તિ હોટલ કે રેસ્ટોરન્ટમાં બેસીને જમી શક્શે નહીં. આ 12 કલાક દરમ્યાન પાર્સલ સુવિધા ચાલુ રહેશે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં કરફ્યુને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં જણાવાયું છે કે હોટેલ રેસ્ટોરન્ટ ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે.

જો કે ગુજરાત ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આ જાહેરનામા સ્પષ્ટતા કરવામાં આવી છે કે માત્ર હોટેલ અને રેસ્ટોરન્ટ સવારથી નવ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી ખુલ્લી રખાશે. જ્યારે દુકાનો માટેનો સમય સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો જ રહેશે. રાત્રી કરફ્યુ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. અને આ જાહેરનામું 4 જૂન સુધી અમલી રહેશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નાઈટ કરફ્યૂ અને પ્રતિબંધોને લઈને ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નવા જાહેરનામામાં હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને મોટી રાહત અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.