Abtak Media Google News

બોડી ડીસ્મોકિંક ડિસઓર્ડર એટલે કે વ્યકિત પોતાના શારીરિક દેખાવથી અકારણ જ ચિંતિત: ખાસ અપરણિત  યુવતીઓને દેખાવ બાબતની સૌથી વધુ ચિંતા

Bbd 1

બીડીડી – આ એક એવી માનસિક બીમારી છે કે જેમાં વ્યક્તિ પોતાના બાહ્ય દેખાવ ને લીધે અકારણ ચિંતિત બને છે. પોતાનું શારીરિક બંધારણ અચોક્કસ છે અથવા તેનું નાક કે કાન મોટા હોય તેવા વિચારોથી વ્યક્તિ પોતાનો મોટાભાગનો સમય અરીસામાં અથવા જાત જાતના કોસ્મેટિક્સના  ઉપયોગમાં વેડફી નાખે છે.

આજકાલ સોશિયલ મીડીયાના ઉપયોગથી માનવી પોતાનો બાહ્ય દેખાવ સારો દેખાડવા તરફ બેબાકળો થયો છે. તેમાં પોતાને ગમતી પ્રતિભાશાળી પર્સનાલિટી અથવા પોતાના ચાહિતા અભિનેતાઓ જેવા દેખાવ જેવો જ પોતાનો દેખાવ લાગે તેવા પ્રયત્ન કરે છે અથવા તેઓ જેવા દેખાય છે તેવા જ પોતે પણ લાગવા જોઈએ તેવા તુચ્છ વિચારોથી તે પોતાને ક્યારેક આર્થિક,સામાજિક, શારીરિક ઉપરાંત માનસિક નુકસાન પણ ભોગવતો હોય છે.

18 થી 60 વર્ષના 990 લોકોની રૂબરૂ મુલાકાત કરીને મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની  પુરોહિત અમી એ સર્વે કર્યો. *પુરોષોની સરખામણીએ સ્ત્રીઓમા દેખાવ બાબતની અકારણ ચિંતા વઘુ. અપરણિત યુવતીઓમાં સૌથી વઘુ દેખાવ બાબતની ચિંતા*

કોરોના પછી તમારા શરીરમાં કોઈ ફેરફાર થયા છે?

  • હા 58%
  • ના 42%

તમારા શારીરિક બંધારણથી સંતુષ્ટ છો?

  • હા 69%
  • ના 31%

સતત સુંદર દેખાવા પ્રયત્નશીલ રહો છો?

  • હા 80.20%
  • ના 19.8%

વજન કાબુમાં રાખવા અપૂરતો ખોરાક લેવાનું પસંદ કરો છો?

  • હા 77%
  • ના 23%

શારીરિક કસરત કરવા છતાં તમારું શરીર વધતું હોય તેવું લાગે છે?

  • હા 65%
  • ના 35%

તમારી ઉંમરને છુપાવવા વધારે પડતાં કોસ્મેટિક્સનો ઉપયોગ કરો છો?

  • હા 70%
  • ના 30%

સોશિયલ મીડિયાના માધ્યમથી સારા દેખાવા પ્રયત્નશીલ રહો છો?

  • હા 46%
  • ના 33%
  • કયારેક 21%

અન્ય વ્યક્તિ તમારાંથી સુંદર દેખાતી હોય તો હીનતાભાવનો અનુભવ કરો છો?

  • હા 78.5%
  • ના 21.5%

બહાર જતી વખતે વારંવાર અરીસામાં જોયા કરો છો?

  • હા 89%
  • ના 11%

તમે સુંદર હસો તો જ તમને કોઈ સારી રીતે બોલાવશે, સારું વર્તન કરશે એવું માનો છો?

  • હા 67%
  • ના 33%

આવા વિચારો ધરાવતા લોકો અન્ય સાથે પોતાના દેખાવની સરખામણી કરતા જોવા મળે છે. જેને લીધે તેઓ વધુમાં વધુ સારા દેખાવ માટે પ્રયત્ન કરશે. ઉપરાંત તેઓને સતત એવી ચિંતા રહે છે કે પોતાના શારીરિક બાંધો સરખો નથી અને લોકો તેને જોશે તો તેનો મજાક ઉડાવશે કે પોતે અન્ય માટે હાસ્ય ને પાત્ર બનશે. આવી માનસિક પરિસ્થિતિને કારણે તે અન્ય લોકો સાથે સમાયોજન સાધવાનું ટાળે છે.

વળી પોતે સુંદર દેખાશે તો જ વ્યક્તિઓ તેને બોલાવશે અને ચાહશે  તેવા મનોવલણો પોતાનામાં વિકસાવે છે. *મોટાભાગે આવું વર્તન સ્ત્રીઓમાં હોય તો કેટલેક અંશે તે  સામાન્ય કહી શકાય. કારણ કે સ્ત્રીઓને સુંદરતાના પ્રતિક સમાન ગણવામાં છે. પરંતુ તેમાં પણ અમુક માત્રા પછી વધુ પડતા પ્રમાણમાં આવું વર્તન જો સ્ત્રી દ્વારા પણ કરવામાં આવે ત્યારે તે વર્તન મનોવિકારમાં પરિણમે છે.

પરંતુ માસ મીડિયાના આધુનિક યુગમાં પુરુષોમાં પણ આવો દોર વધવા લાગ્યો છે.* વળી કોરોનાકાળ માં આખો દિવસ ઘરમાં રહી વ્યક્તિ આવી અનેક માનસિક મુસીબતો નો ભોગ બનતો રહ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા 18 થી 60 વર્ષના  990 લોકોની રૂબરૂ મુલાકાત લઈ સર્વે હાથ ધર્યો

:બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડરના કારણો:

  • સામાન્યત 15થી 25 વર્ષનો સમયગાળો એવો હોય છે કે, જેમાં બાળક કિશોરાવસ્થામાં પ્રવેશે છે. ત્યારે  તેનામાં શારીરિક કે હોર્મોનલ ફેરફારો થતા હોય છે.
  • જેને લીધે તેઓ પોતે આકર્ષક દેખાવા માગે છે.
  • જેના પરિણામે તેઓ બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડર ભોગ પણ બની શકે છે. પરંતુ વર્તમાન સમયમાં આવા લક્ષણો મોટી ઉંમરની વ્યક્તિઓમાં પણ જોવા મળે છે.
  • અલબત્ત, કેટલાક લોકો પોતાના સામાજીક મોભાને કારણે પોતાની સાચી ઉંમર છુપાવવા માટે પણ આવા અનેક વર્તન દાખવે છે.
  • તદુપરાંત આના કારણોમાં ડિપ્રેશન, ચિંતા, હતાશા અને લાગણીઓનો અભાવ જોવા મળે છે. અને કેટલીકવાર તે વારસાગત પણ હોઇ શકે છે.

: બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડર અસરો :

  • સતત માનસિક તણાવ, ઊંડા વિચારો, અન્ય વ્યક્તિ દ્વારા ટીકા નો ભય વગેરે 1/5% લોકો આના કારણે આત્મહત્યા તરફ પણ વળે છે.
  • લોકડાઉનને લીધે થયેલા શારીરિક ફેરફારો માં મુખ્ય જોઈએ તો મોટાભાગના લોકોનું એવું કહેવાનું છે કે બહાર ચાલવા જવાનું બંધ થયું, શારીરિક કસરત થતી નથી, જેથી વજન સતત વધી રહ્યું છે.
  • વળી, કેટલાક લોકોને શારીરિક સુસ્તીનો અનુભવ થાય છે. મોટા ભાગની મહિલાઓ કહે છે કે, પહેલા તો બહારના અને ઘરના બંને કામ સહેલાઈથી કરી શકતા, પરંતુ અત્યારે થોડું કામ કરીએ તો પણ થાકી જવાય છે.
  • અને વધુ વજન ને લીધે કોઈ પણ કામ કરવામાં પહેલા જેવો ઉત્સાહ રહેતો નથી.
  • મોટાભાગની સ્ત્રીઓને એવું લાગે છે કે, લોકડાઉનની અસર તેમના શરીર પર પડી છે અને તેમનું શરીર તેમનો સાથ આપતું નથી.

બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડરના ઉપચારો

  • આ માનસિક બીમારી નો ઉપચાર પણ અન્ય માનસિક વિકૃતિઓની જેમ શક્ય છે.
  • જેમાં  સલાહકાર દ્વારા સલાહ મેળવવી, દવાઓ, તેમજ જરૂર લાગે ત્યારે થેરાપીનો પણ સમાવેશ કરવો, તેમજ તેના ઉપચાર માટે સૌથી જરૂરી વ્યક્તિનો પોતાનો આત્મવિશ્વાસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.