Abtak Media Google News

30મી ઓગષ્ટે રાજયની આઠ મહાપાલિકાઓમાં રાત્રી કરફયુ એક વાગ્યાથી શરૂ થશે: 1ર વાગ્યા સુધી કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી શકશે ભાવિકો

ગણેશ મહોત્સવમાં રાત્રીના 11 વાગ્યા સુધી દર્શનની છુટછાટ ધાર્મિક સાંસ્કૃતિ કાર્યક્રમો યોજી નહી શકાય: સ્થાપન અને વિસર્જનમાં 1પ લોકોની મંજુરી મળશે

લાખો ભાવિકોની લાગણી અને માંગણીનો ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વીકાર કર્યો છે. રાજયમાં આગામી જન્માષ્ટમીના રાત્રીના 1ર વાગ્યા સુધી કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાશે. રાત્રી કરફર્યુ એક વાગ્યાથી શરુ થશે જયારે ગણેશ મહોત્સવની ઉજવણી માટે પણ છુટછાટ આપવામાં આવી છે.

કોરોનાના કારણે ગત વર્ષ કાનુડાને જન્મના વધામણા કરવાનું ચૂકી જનાર ગુજરાતીઓ માટે સારા વાવડ મળી રહ્યા છે. રાજયની 8 મહાપાલિકાઓમાં હાલ રાત્રી કરફર્યુ અલમમાં છે. જન્માષ્ટમીના દિવસે અર્થાત 30મી ઓગષ્ટના રોજ રાત્રીના 1ર વાગ્યા સુધી કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી  કરી શકાશે. આઠમાં એક જ દિવસ માટે રાત્રી કરફયુ એક વાગ્યે શરુ થશે. આ ઉપરાંત ગણેશ મહોત્સવ પણ ભાવિકો ભકિતભાવ  સાથે ઉજવણી શકે તે માટે 9 થી 19 સપ્ટેમ્બર સુધી રાત્રી કરફયુની અમલવારી 1ર વાગ્યાથી કરવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જન્માષ્ટમીએ રાત્રે 1ર કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે  જે 8 મહાનગરોમાં  રાત્રિ કરફયૂ અમલમાં છે તે મહાનગરોમાં તા.30 ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કરફયુ રાત્રિના 1 વાગ્યાથી અમલી કરાશે. મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ર00 લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે.

મંદિરોમાં દર્શન માટે આવનારા સૌ એ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ એસ.ઓ.પી. નું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે. મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે.

રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર  યાત્રાની છૂટ અપાશે. રાજયમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહિ. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહિ.

મુખ્યમંત્રીએ ગણેશોત્સવનું પર્વ આગામી તા. 9 સપ્ટેમ્બરથી તા.19 સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં ઉજવાવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તદઅનુસાર, સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ એસઓ.પી.  પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહિ.

રાજ્યના 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમ્યાન રાત્રે 11 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તા.9 મી સપ્ટેમ્બરથી તા.19 મી સપ્ટેમ્બર દરમ્યાન આ મહાનગરોમાં રાત્રિ કરફયુનો અમલ આ મહાનગરોમાં રાત્રે 1ર વાગ્યાથી કરાશ. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.