Abtak Media Google News

જય વિરાણી, કેશોદ

આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદથી અતિવૃષ્ટિની પરિસ્થિતી સર્જાઈ હતી જેના કારણે ખેડુતોને આર્થીક ફટકો પડ્યો હતો. ત્યારે જુનાગઢમાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. બધો જ પાક નિષ્ફળ ગયો હતો.

પાકને નુકસાન મુદે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં પણ વ્હાલાં દવલાંની નીતીના આક્ષેપ કેશોદના ખેડૂતો દ્વારા લગાડવામાં આવ્યા છે.

Screenshot 1 103

દિવાળીના તહેવારો હોય ત્યારે ખેડુત પરીવારે ખુશીની જગ્યા કર્યુ દુ:ખ વ્યક્ત કર્યું. કેશોદના અગતરાય ગામે કપાસ નિષ્ફળ જતાં ખેડુતે ખેતર બકરા ચરવા ખુલ્લું મુંક્યુ છે. 10 વિઘાનો કપાસ નિષ્ફળ જતાં અને કોઈ રાહત ન મળતા ખેડુત પરીવારે આર્થીક પાયમાલ થઈને બકરા  ચરાવવા ખેતર આપી દીધેલ છે.

Screenshot 2 75

ખેડુતે 50 હજારની મજુરી સહિત કપાસના ઉત્પાદન નિષ્ફળ જતાં 2 લાખની આવક ગુમાવી હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. સરકાર રાહત યોજનામાં અગતરાય ગામનો સમાવેશ કરી આર્થીક મદદની માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.