Abtak Media Google News

ઋષિએ જ્ઞાની અને પૂર્ણ મનુષ્ય માટે વપરાતો વૈદિક શબ્દ

વેદો, પૂરાણો, ઉપનિષદ, રામાયણ અને મહાભારતની ઋચાઓની રચના આપણાં ઋષિમુનીઓએ કરી હતી: પ્રાચિન ભારતમાં તેની પૂજા અને ખૂબ જ માનભર્યું સ્થાન હતું: આકાશના તારા સમુહમાં પણ ‘સપ્તર્ષિ’નું સ્થાન છે: ભારતના મહાન અને સર્વશ્રેષ્ઠ સાત ઋષિઓને કારણે જ ‘સપ્તર્ષિ’ કહેવાય છે

અનુવૈદિક હિન્દુ પરંપરાઓમાં કોઇએ સખ્ત તપ અને ધ્યાન કર્યું હોય અને જેની પાસે અંતિમ સત્ય અને ઊંડાણવાળું જ્ઞાન છે તેના માટે આપણે કે પૌરાણિક શાસ્ત્રો-ગ્ંરથોમાં ઋષિ શબ્દ પ્રયોજ્યો છે. વિશ્ર્વામિત્ર પૌરાણિક ભારતના એક આદરણીય સંત હતા. હિન્દુ ગ્ંરથો મુજબ તેમણે દેવોને પડકારીને અલગ સ્વર્ગ બનાવવાની યોજના બનાવતા ઇન્દ્રએ તેમની શક્તિઓથી ગભરાયને મેનકાને ધ્યાન ભંગ કરવા ધરતી પર મોકલી હતી. આપણી પ્રાચીન સંસ્કૃતના મત મુજબ ઋષિએ સંસ્કૃત ધાતુ ‘રશ’ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે. ચાલવું અને હલવું, આ શબ્દનો વહેવું એવો પણ કરાય છે.

ઇન્ડોનેશિયા જાવાના મધ્યકાલિન મંદિરોમાં ઋષિ અગત્સ્યની પ્રતિમા શિવમંદિરોમાં જોવા મળે છે. આ ઉપરાંત કંબોડીયા, મ્યાનમાર, થાઇલેન્ડ અને લાઓસમાં પણ ભારતના ઋષિઓ સમતુલ્ય હતા. વેદના રચયિતા તરીકે ઋષિઓનો ઉલ્લેખ થાય છે. સ્વામી વિવેકાનંદજીના મત મુજબ ભારતમાં સૌથી પ્રથમ જ્ઞાન આ ઋષિઓ પાસે આવ્યું હતું. ખાસ કરીને ઋગવેદના રચયિતા તરીકે ઋષિઓનું વર્ણન જોવા મળે છે. મહિલા ઋષિને ઋષિકા કહેવાય છે, જેમાં રોમાશા, લોયામુદ્રા, અપાલા, વિશ્ર્વવારા, જુહું, યામી, કદ્રુ, ઇન્દ્રાણી, દેવયાની, પૌલોમી અને સાવિત્રીનો ઉલ્લેખ જોવા મળે છે.

‘સપ્તર્ષિ’એ સાત ઋષિઓનું વર્ગીકરણ છે. અન્ય એક વર્ગીકરણમાં ઋષિઓમાં રાજર્ષિ, મહર્ષિ અને બ્રહ્મર્ષિ જોવા મળે છે. પ્રાચીન ભારતમાં ઋષિઓની પૂજા થાય છે. આકાશના તારા સમુહમાં ‘સપ્તર્ષિ’ને સ્થાન અપાયું છે. ઋષિએ જ્ઞાની અને પૂર્ણ મનુષ્ય માટે વપરાતો વૈદિક શબ્દ છે અને આજ ઋષિઓએ વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત જેવા ગ્રંથો અને વેદોની ઋચાઓની રચના કરી હતી. ઋષિ પંચમી આપણો મોટો ઉત્સવ ગણાય છે.

ઋગ્વેદમાં લગભગ એક હજાર સુક્ત સાથે દશ હજાર મંત્ર છે. ચાર વેદોમાં કુલ ર0 હજાર જેટલા છે. મંત્રોની રચનામાં ઋષિઓનું યોગદાન મોખરાનું છે પણ ‘સપ્તર્ષિ’ પૈકી સાતેય ઋષિનો મંત્ર રચનામાં વિશેષ ફાળો જોવા મળે છે. જેના વંશમંડળ-પરંપરાના બધા કુળો એકત્ર કરીને ચાર વેદોની રચના થઇ હતી. જેમાં વરિષ્ઠ, વિશ્ર્વામિત્ર, કલ્વ, અત્રિ, ભારદ્વાજ, અત્રિ, વામદેવ અને શૌનક આ સાત ઋષિઓની ‘સપ્તર્ષિ’ બને છે. એવું કહેવાય છે કે હરિદ્વારમાં આજે જ્યાં શાંતિકુંજ છે એ સ્થાન પર વિશ્ર્વામિત્રએ ઘોર તપસ્યા કરીને ઇન્દ્રથી રિસાઇને એક અલગ જ સ્વર્ગ લોકની રચના કરી હતી. ઋષિ ભારદ્વાજના પુત્રો ઋગવેદના મંત્રદ્રષ્ટા હતા. ઋગવેદમાં 765 મંત્ર અને અર્થવવેદમાં પણ ર3 મંત્રો જોવા મળે છે. અમુક ભાગોમાં વિમાન શાસ્ત્રના નામથી પ્રકાશિત પણ થયો છે. જેમાં વિમાનો માટે વિવિધ ધાતુઓના નિર્માણનું વર્ણન જોવા મળે છે.

ઋષિઓ વિશે તથા તેના મહત્વ વિશે આજની પેઢીએ જાણવાની જરૂર છે. તારા મંડળના સપ્તર્ષિઓ વિશે જેમાં સાત મહાન ઋષિઓના નામ જોડાયેલા છે. વેદોની રચના કરનારને આપણે ઋષિ તરીકે ઓળખીએ છીએ.

– અંગિરાઋષિ : ઋગવેદનાના રચિયતા બ્રહ્માના પુત્ર હતા. તેના પુત્ર બૃહસ્પતિ દેવતાઓના ગુરૂ હતા. ઋગવેદના ઉલ્લેખ પ્રમાણે ઋષિ અંગિરાએ સૌ પ્રથમ અગ્નિ ઉત્પન્ન કરી હતી.

– વિશ્ર્વામિત્ર ઋષિ : ગાયત્રી મંત્રના જ્ઞાન દેવાવાળા વિશ્ર્વામિત્ર વેદમંત્રોના સર્વપ્રથમ દ્રષ્ટ મનાય છે. આયુર્વેદાચાર્ય સુશ્રુત તેના પુત્ર હતા. આ ઋષિની પરંપરાઓ ઉપર ચાલવાવાળા ઋષિઓએ પણ તેજ નામ ધારણ કર્યું હતું. આ પરંપરા બીજા ઋષિઓમાં ચાલુ રહી હતી.

– વશિષ્ઠ ઋષિ : સપ્તઋષિ પૈકી એક વશિષ્ઠ ઋગવેદના મંત્ર દ્રષ્ટા હતા. તેમની પત્ની અરૂંધતી તેના વૈદિક કાર્યોમાં સહભાગી હતી.

– કશ્યપ ઋષિ : મારિચ ઋષિના પુત્ર અને આર્ય નરેશ દક્ષની 13 ક્ધયાઓનો પુત્ર હતો. સ્કંદપુરાણના કેદારખંડમાં જણાવ્યા મુજબ તેનાથી દેવ-અસુર અને નાગોની ઉત્પતિ થઇ હતી.

– જમદગ્નિ ઋષિ : ભૃગુપુત્ર યમદગ્નિને ગૌવંશની રક્ષા ઉપર ઋગવેદના 16 મંત્રોની રચના કરી હતી. કેદારખંડ મુજબ તે આયુર્વેદ અને ચિકિત્સાશાસ્ત્રમાં પણ નિષ્ણાંત હતાં.

– અત્રિ ઋષિ : ઋગ્વેદના પાંચમા મંડળના મોટાભાગના સૂત્રોના તે ઋષિ હતાં. તે ચંદ્રવંશના પ્રવર્તક હતા. મહર્ષિ અત્રિ આયુર્વેદના આચાર્ય પણ હતાં.

– અપાલા ઋષિ : ઋગવેદના સુકતની રચના કરી સાથે આયુર્વેદના પ્રસિધ્ધ આચાર્ય હતાં.

– પરાશર ઋષિ : ઋષિ વશિષ્ઠના પુત્ર પરાશર જે પિતા સાથે હિમાલયમાં રહીને વેદમંત્રોના દ્રષ્ટા બન્યા, મહર્ષિ વેદવ્યાસના તે પિતા હતાં.

– ભારદ્વાજ ઋષિ : બૃહસ્પતિના પુત્ર ભારદ્વાજને ‘યંત્ર સંવસ્વ’નામના ગ્રંથની રચના કરી જેમાં વિમાન નિર્માણ, પ્રયોગ, સંચાલન સંબંધિત વિસ્તારથી વર્ણન જોવા મળે છે. તે આયુર્વેદના નિષ્ણાંત હતા, ધનવંતરિ તેના શિષ્ય હતાં.

આ ઉપરાંત શૌનક ઋષિ દશ હજાર વિદ્યાર્થીઓના ગુરૂકુળ ચલાવીને કુલપતિનું વિશિષ્ટ સન્માન મેળવ્યું હતું. આવું સન્માન મેળવનાર તે પ્રથમ ઋષિમુની હતા. વૈદિક આચાર્ય અને ઋષિ જે શુનક ઋષિના પુત્ર હતાં. પ્રાચીન ભારતમાં સૌથી મહત્વપૂર્ણ સોમયજ્ઞ હતા જે કલ્વ ઋષિએ શરૂ કરેલ. વૈદિકકાળના આ ઋષિના આશ્રમમાં હસ્તિનાપુરના રાજા દુષ્યંતની પત્ની શંકુતલા તથા તેના પુત્ર ભરતનું પાલન-પોષણ કર્યું હતું.

આ દરેક ઋષિ ભારતીય સંસ્કૃતિના પથદર્શક, રાષ્ટ્રધર્મના સંરક્ષક પ્રગતિ અને મુક્તિના ઉગારનાર છે. આજ કારણે ઋષિઓની મહાનતાને યાદ કરીને પૂજન-અર્ચન કરીને તેને આપેલા પથ પર ચાલવાનો સંકલ્પ કરીએ છીએ. આપણાં ઋષિઓએ વ્યાપક પ્રમાણમાં સમાજના હિતના કાર્યો કર્યા છે જેને કારણે માનવજાત સદાય તેના ઋણી રહેશે.

સપ્તર્ષિના સાતે તારા મંડળના નામ

– ક્રતુ

– પુલહ

– પુલસ્ત્ય

– અત્રિ

– અંગારા

– વશિષ્ઠ

– મરીચિ

આપણાં પ્રાચીન ઋષિઓ સંસ્કૃતિના પથદર્શક અને રાષ્ટ્રધર્મના સંરક્ષક હતા

પ્રાચિનકાળમાં આપણાં ઋષિ મુનિઓએ વ્યાપક પ્રમાણમાં સમાજના હિતના કાર્યો કર્યા અને તેઓ આપણી મહાન સંસ્કૃતિના પથદર્શક સાથે રાષ્ટ્રધર્મના સંરક્ષક હતાં. તેઓ પ્રખર જ્ઞાની સાથે પૂર્ણ મનુષ્ય હોવાથી પ્રાચિનકાળથી વૈદિક શબ્દ ઋષિમુનિ શબ્દ ચલણમાં આવ્યો છે. તેઓએ સખત તપ-ધ્યાન કરીને અંતિમ સત્યની શોધ કરી હતી સાથે તેમણે પુરાણો, વેદો જેવા મહાન ગ્રંથની રચના પણ કરી હતી. પ્રાચિન ભારતમાં સૌથી મહત્વપૂર્ણ સોમયજ્ઞ હતા જે કલ્વ ઋષિએ શરૂ કર્યા હતા. તેઓ પોતાના આશ્રમમાં રાજકુમારોને શિક્ષણ સાથે વિવિધ વિદ્યાનું જ્ઞાન આપતા હતા. બ્રહ્મદેવે દસ પુત્રો ઉત્પન કરેલા, તેમાના આ સાત પુત્રો તે આ સપ્તર્ષ ધ્રુવ તારકના દર્શન કરાવનાર પ્રથમ બે ઋષિ તે ક્રતુ અને પુલહ હતા. આપણાં તહેવારોમાં ઋષિ પંચમીનું વિશેષ મહત્વ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.