સિઝન સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવો આયામ શરુ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા અંતિમવિધી વ્યવસ્થાપન શરુ કરવામાં આવ્યું છે. આ આયામ તળે કોઇને ત્યાં અવસાન થયું હોય એ પ્રસંગે દરેક રીતે મદદરુપ થવાની ભાવના છે. નિહારની સામગ્રી, પ્રાર્થનાસભા-બેસણું ઉઠમણું વ્યવસ્થાપન, શ્રઘ્ધાંજલી સામગ્રી (પર્સનલાઇઝ બુક-સીડી) સ્મરણાંજલી સામગ્રી (પ્લાસ્ટીક તથા સ્ટીલ વાસણ ફ્રેમ, મૂર્તિઓ વિગેરે) રાહતદરે ભોજન ટીફીન વ્યવસ્થા અને બારમાં-તેરમાં ઉત્તરક્રિયા કાર્ય વ્યવસ્થાપન ઉપરાત આ પ્રસંગે આવેલા સ્વજનો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરી અપાય છે. જે પરીવારમાં ઓછા સભ્યો હોય ત્યારે આવી સેવા ઉ૫યોગી નીવડે છે. ટ્રસ્ટનો હેતુ પણ આવા પરીવારોને મદદરુપ થવાનો છે.આ અંગે વિગતો આપવા ટ્રસ્ટના કુણાલ જોષી, કોમલ મહેતા, અને કાર્તિક કચ્છીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.ટ્રસ્ટ અન્ય સેવાઓ જેવી કે દર્દીને સારવાર અંગે માર્ગદર્શન, અતિ આધુનિક હોસ્પિટલ બેડ, કુલ્લી ઓટોમેટીક ઓકિસજન, મશીન વ્હીલચેર ટોયલેટ ચેર વોકર એરબેડ-બોટર બેડ નેબ્યુલાઇઝર મશીન ફુટ વાઇબ્રેટર, બોડી વાઇબ્રેટર મશીન વગેરે પણ અપાય છે. વધુ વિગત માટે મો.નં. ૯૫૩૭૭ ૫૦૯૯૯ નો સંપર્ક કરવા જણાવાયું છે.
Trending
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ