Abtak Media Google News
પૂ.લાલબાપુ ઝડપથી તંદુરસ્ત બને તેવી પ્રાર્થના કરી: સાલ ઓઢાડી સન્માન ક્રાયું

અબતક,કિરીટ રાણપરીયા, ઉપલેટા

Advertisement

ઉપલેટા તાલુકાના ગધેથર ગામે આવેલ વેણુ ગંગા ગાયત્રી આશ્રમના મહંત શ્રી લાલબાપુની નાદુરસ્ત તબીયત હોય તેઓની ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખબર અંતર પૂછી હતી.

ગધેથર ગામે વેણુ ડેમનાં કાંઠે આવેલ ગાયત્રી ગંગા આશ્રમના તપસ્વી સંત અને ગાયત્રી માતાજીના પરમ ઉપાસક સમગ્ર રાજયમાં સાદગીપૂર્વક સંતનું બિરૂદ મેળવનારા પૂ. સંત સિરોમરક્ષ લાલબાપુની તબીયત નાદુરસ્ત હોવાથી હાલ અમદાવાદ જોધપૂર દરવાજા પાસે સેવકના મકાનમાં નિવાસ કરી રહ્યા છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પૂ. લાલબાપુના ખબર અંતર પૂછી મા ગાયત્રીને બાપુ વહેલા તંદુરસ્ત થાય તેવી પ્રાર્થના કરેલ હતી. આ તકે લાલબાપુના શિષ્ય રાજુ ભગત દ્વારા ખબર અંતર પૂછવા આવેલા રાજયનાં મુખ્યમંત્રીનું શાલ ઓઢાડી અભિવાદન કરેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.