Abtak Media Google News

ગંભીર ઇજા અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અજાણ્યા શખ્સો સામે નોંધાતો ખૂનનો ગુનો

 

પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક આવેલા અંતરજાળ ગામના આહિર વૃધ્ધ દ્વારકાની અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી લાશને સળગાવી દીધાની દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંતરજાળ ગામે રહેતા મેમાભાઇ પચાણભાઇ ચાવડા નામના 70 વર્ષના આહિર વૃધ્ધ ગત તા.18મીએ દ્વારકા દર્શન કરવા નીકળ્યા બાજ તા.20મીએ તિક્ષ્ણ હથિયારના ઘા અને સળગેલી હાલતમાં અલખ હોટલ પાસેથી મળી આવતા પોલીસે મૃતક મેમાભાઇ ચાવડાના પુત્ર મહાદેવભાઇ ઉર્ફે માધાભાઇ ચાવડાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

મૃતક મેમાભાઇ ચાવડા દર પૂનમે દ્વારકા દર્શન કરવા માટે ગાંધીધામથી દ્વારકા જાય છે. પરંતુ પૂનમે મેમાભાઇ ચાવડા દ્વારકા જઇ ન શકતા તેઓ ગત તા.18મીએ બસમાં દ્વારકા ગયા બાદ તા.20મીએ તેની દ્વારકા પાસેની અલખ હોટલ પાસેથી તિક્ષ્ણ હથિયારના ઘા મારેલી અને અડધી સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી.મેમાભાઇ ચાવડાની હત્યા કોને અને શા માટે કરી તે અંગે દ્વારકા પોલીસ મથકના પી.આઇ. પી.એ.પરમાર સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.