Abtak Media Google News

કચ્છથી અષાઢી બીજ નિમિતે વતન ભેસાણ આવતી રિક્ષાને માર્ગ અકસ્માત નડતા પરિવારે મોભી ગુમાવતા અરેરાટી

મોરબી રોડ પર આવેલા ગવરીદડ પાસે મોડીરાતે રિક્ષા સાથે અજાણ્યું વાહન અથડાતા સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં કચ્છથી અષાઢી બીજ નિમિતે વતન ભેસાણ આવતા પરિવારે મોભી ગુમાવતા અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કચ્છથી રિક્ષા લઇને વતન ભેસાણ સાગરનાથ શાંતીનાથ માંગરોલીયા, તેમની પત્ની ટીંકુબેન માંગરોલીયા, પુત્રી મિલન અને પુત્ર ગોપી અષાઢી બીજ નિમિતે આવી રહ્યા હતા ત્યારે રિક્ષા મોરબી રોડ પરના ગવરીદડ પાસે પહોચી ત્યારે સામેથી પુર ઝડપે ઘસી આવેલું અજાણ્યું વાહન ઠોકર મારી ભાગી જતા રિક્ષા ચાલક સહિત ચારેય ફંગોળાતા ગંભીર રીતે ઘવાયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા ચારેયને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે સાગરનાથ શાંતીનાથ માંગરોલીયાનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ છે. મૃતક સાગરનાથ માંગરોલીયા પરિવારનો મોભી હતો અને તેમનું માર્ગ અકસ્માતમાં મોત નીપજતા પરિવાર પર આભ તુટી પડયું હોય તેમ કરૂણ આંક્રદ કરતા ગમગની છવાઇ ગઇ હતી. પોલીસે અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી તપાસ હ્થધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.