સમાજવાદી પાર્ટી નું રાષ્ટ્રીય અધિવેશન આગ્રામાં ગુરુવારે યોજાયું. તેમાં અખિલેશ પાર્ટીના બિનહરીફ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. અખિલેશ યાદવે મુલાયમ સિંહને અધિવેશનમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ પહોંચ્યા નહીં. અખિલેશને આગલા 5 વર્ષ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ અધિવેશનમાં દેશભરમાંથી આશરે 15 હજાર પાર્ટીના ડેલિગેટ્સે હિસ્સો લીધો હતો.અધિવેશનમાં હિસ્સો લેવા માટે અખિલેશ બુધવારે પહોંચ્યા હતા, જ્યારે રામગોપાલ 3 ઓક્ટોબરે જ પહોંચી ગયા હતા. 28 સપ્ટેમ્બરે અખિલેશ યાદવે મુલાયમ સિંહને મળીને આગ્રાના રાષ્ટ્રીય અધિવેશનમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ અધિવેશનમાં પહોંચ્યા નહીં.પહેલા સમાચાર આવ્યા છે કે કારોબારી દોસ્ત પાસે મુલાયમ સિંહે અધિવેશનમાં જવા માટે ચાર્ટર્ડ પ્લેન માંગ્યું હતું.બુધવારે અખિલેશે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું “મેં નેતાજી પાસે આશીર્વાદ માંગ્યા છે, હું ઇચ્છું છું કે તેઓ આગ્રા આવે.”
Trending
- અટલ સરોવર બુધવારથી લોકો માટે ખુલ્લુ મુકાશે: એન્ટ્રી ફી રૂ.25 રહેશે
- અમારી વિનમ્રતાને અમારી નબળાઇ સમજવાનું દુ:સાહસ કોઇ કરશો નહીં: માંધાતાસિંહજી જાડેજા
- વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટની કાયાપલટની કામગીરી પૂર્ણતાના આરે
- ચારધામ યાત્રાને લઇ સરકારે ગાઈડલાઈન કરી જાહેર
- ચીને બાંગ્લાદેશ સાથે નિકટતા વધારી : ભારતની ફરતી બાજુ મિત્રો ગોઠવવાનો વ્યૂહ
- 24 કલાકમાં બીજીવાર પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનું વધુ એક કન્સાઈમેન્ટ ઝડપાયું : 173 કિલો ડ્રગ્સ કબ્જે
- ભુજ : નજીવી બાબતમાં બોલાચાલી થતાં 2 વ્યક્તિએ એસિડ દ્વારા હુમલો કર્યો
- પોસ્ટલ બેલેટ વડે હોંશભેર મતદાન કરતા સરકારી કર્મચારીઓ