Abtak Media Google News

બાથરૂમમાં કેરોસીન છાંટી આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત: પોલીસ તપાસ શરૂ

ચલાલા ગામે પ્રોઢાએ અગન પછેડી ઓઢી જીવન ટૂંકાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. જ્યારે મૃતકના પુત્રીએ તેના પિતા સામે હત્યાના આક્ષેપ કરતા મામલો બિચકયો છે. પ્રોઢાએ બાથરૂમમાં કેરોસીન છાંટી આપઘાત કરી લેતા પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે ખસેડી આગળની તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચલાલા ગામમાં રહેતા દિવાળીબેન જીવણભાઈ રાઠોડ નામના 52 વર્ષીય પ્રોઢાએ ગઇ કાલે સવારે પોતાના ઘરે બાથરૂમમાં કેરોસીન છાંટી જાત જલાવતા તેઓને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા દિવાળીબેનનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ દિવાળીબેન માનસિક બીમારીથી પીડાતા હોય જેના કારણે અગન પછેડી ઓઢી આપઘાત કર્યાનું સામે આવ્યું હતું. પરંતુ મૃતકના પુત્રીએ તેમના પિતા પર જ હત્યાનો આક્ષેપ કરતા મામલો બિચકયો હતો. પોલીસે મૃતદેહના ફોરેન્સિક પીએમ બાદ મોતનું સાચું કારણ જાણવા માટે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.