Abtak Media Google News

પોલીસને જાણ કર્યા બાદ મામલો થાણે પડ્યો

સુરેન્દ્રનગર : થાનગઢ ખાતે નાંખવામાં આવેલી ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાતી હોવાની જુદા જુદા વિસ્તારોમાંથી ફરિયાદો ઉઠવા પામી છે. વોર્ડ નં.5ના રહીશોએ આ સમસ્યાથી કંટાળી નગરપાલીકા કચેરીમાં હોબાળો મચાવી તોડફોડ કરી હતી. તેના પગલે પોલીસ બોલાવવી પડી હોવાની ઘટના સામે આવી છે.

થાનગઢનાં વોર્ડ નં.2 માં બે દિવસ પહેલા ભુગર્ભ ગટર મામલે નગરપાલીકાનાં સેનીટેશન વિભાગનાં ચેરમેન અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના બન્યા બાદ શુક્રવારે શહેરનાં વોર્ડ નં.5 ના રહિશો દ્વારા ભુગર્ભ ગટર ઉભરાવા બાબતે નગરપાલીકામાં હલ્લાબોલ કર્યો હતો. ભુગર્ભ ગટર ઉભરાઈને આખી શેરીમાં ગંદુ પાણી ફરી વળતું હોવાની ફરીયાદ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના રહીશો નગરપાલીકા કચેરીએ ધસી ગયા હતા. અવાર-નવાર રજુઆતો કરવા છતાં ઉકેલ નહીં આવતો હોવાથી રોષે ભરાયેલા રહીશોએ નગરપાલીકામાં તોડફોડ પણ કરી હતી. આખરે પોલીસ બોલાવાતા મામલો થાળે પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.