Abtak Media Google News
અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા,  અંજારમાં ત્રિકમ છાંગા, ગાંધીધામમાં માલતી મહેશ્વરી અને રાપરમાં વિરેન્દ્રસિંહ જાડેજાને ઉમેદવાર જાહેર કરાયા

ભાજપ દ્વારા આજે કચ્છની 6 બેઠકો ઉપરના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ બેઠકો ઉપર નામની જાહેરાત થતા જ કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા

મળ્યો હતો. ભાજપ હાઈ કમાન્ડે ગઈકાલે ફોન ઉપર જાણ કર્યા બાદ આજે સતાવાર રીતે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી . જેમાં અબડાસા વિધાનસભા બેઠક ઉપર પ્રધુમનસિંહ જાડેજા,  માંડવી બેઠક ઉપર અનીરૂધ્ધ દવે, ભૂજ વિધાનસભા બેઠક ઉપર કેશુભાઈ પટેલ,  અંજાર બેઠક ઉપર ત્રિકમ છાંગા (માસ્તર), ગાંધીધામ બેઠક ઉપર માલતી મહેશ્વરી અને રાપર બેઠક ઉપર વિરેન્દ્રસિંહ જાડેજાના નામની જાહેરાત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.