Abtak Media Google News

સૌરાષ્ટ્રને હંમેશા નરેન્દ્રભાઇએ દિલથી ચાહ્યું છે અને માંગ્યા વિના મનમૂકીને આપ્યું છે : ધ્રુવ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ફરી સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. જામનગર અને રાજકોટ ઉપરાંત અંજારમાં પણ તેમની જાહેર સભા છે. નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે રાજકોટ સૌરાષ્ટ્રના લોકોના મનમાં હરખ ઊભરાઈ રહ્યો છે. સૌ કોઈ આ લાડકા નેતાને આવકારવા માટે આતુર બન્યા છે એવું જણાવતા ભાજપ અગ્રણી પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ સાથે, રાજકોટ સાથે નરેન્દ્રભાઈ મોદીનો એક અનોખો, નિરાળો નાતો છે. આજે પણ જાહેર સભામાં હજારો લોકો ઉમટી પડવાના છે.

નરેન્દ્રભાઈ મોદી આજે તો આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વ છે. તેઓ ભારતનો ચહેરો છે. જ્યાં જુઓ ત્યાં આજે ભારતની બોલબોલા છે તેનું કારણ નરેન્દ્રભાઈએ આ દેશનો કરેલો સર્વાંગી વિકાસ છે. દેશની સંસ્કૃતિ, મૂલ્યો બધું જાળવીને દેશને અન્ય વિકસિત દેશોની હરોળમાં તેમણે મૂક્યો છે. આ દેશની ધાર્મિક, સામાજિક પરંપરાની પૂરતી સંભાળ લેવાની સાથે તેમણે આર્થિક વિકાસનો પથ લોકોને બતાવ્યો છે. આજે નરેન્દ્રભાઈ વિશ્વ વિખ્યાત છે પરંતુ તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવક જ હતા ત્યારથી આ પ્રદેશ સાથે અનોખા ભાવ થી જોડાયેલારાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટથી તેઓ પ્રથમવાર ચૂંટણી લડ્યા અને જીત્યા. ગુજરાતના વિકાસનો સુવર્ણયુગ રાજકોટની તે ચૂંટણીથી શરુ થયો તેમ કહેવાય કારણ કે 2002ના ફેબ્રુઆરીમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી ગુજરાતમાં વાઈબ્રન્ટ સમીટ, જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ જેવા અનેક આયોજનો શરુ થયાં. ખેલ મહાકુંભ,કલા મહાકુંભ,વાંચે ગુજરાત જેવા પ્રકલ્પોથી તેમણે લોકોને સરકારી કાર્યક્રમો સાથે જોડ્યા. ઉત્સવોને અનોખું રુપ આપ્યું.

અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ હોય કે રાજકોટનો લોકમળો હોય દરેક પ્રસંગનું સ્વરુપ બદલાઈ ગયું. ગુજરાતમાં આજે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ છે અને તે પણ રાષ્ટ્રીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલનું છે. કેવડિયા કોલોની વિતારને પ્રવાસનના દૃષ્ટિકોણથી ઉત્તમ બનાવી દીધો. કોંગ્રેસની સરકારોએ પાણી ન આપ્યું. નરેન્દ્રભાઈએ સૌની યોજનાનો અમલ 2016થી કર્યો અને સૌરાષ્ટ્રના 115 ડેમ નર્મદાના પાણીથી ભરવાનો સંકલ્પ કરી તેનો અમલ પણ કર્યો. આજે રાજકોટનો આજી ડેમ, મોરબીનો મચ્છુ ડેમ, ગાંડલનું વેરી તળાવ એ બધું ઊનાળામાં પણ છલોછલ રહે છે તે આ સૌની યોજનાને આભારી છે અને સૌની યોજના મોદી સાહેબને આભારી છે. આજે આ યોજનાના ફળ સમગ્ર સૌરાષ્ટ્ર ખાઈ રહ્યું છે. હજી તે આગળ વધવાની છે.

સૌરાષ્ટ્ર માટે-કચ્છ માટે મોદી સરકારે આટલું બધું કર્યું છે. સૌરાષ્ટ્રના લોકો તમામ ચૂંટણીઓમાં હવે નરેન્દ્રભાઈ મોદી અને ભાજપને જીતાડવા માટે સંકલ્પબદ્ધ છે. બે દિવસ પછી સૌરાષ્ટ્ર કચ્છની 48 બેઠકો પર મતદાન છે ત્યારે સૌરાષ્ટ્રના મતદારો ભાજપને જીતાડવા માટે તૈયાર છે. આજે નરેન્દ્રભાઈ મોદી રાજકોટ અને જામનગર આવ્યા છે. રાજકોટવાસીઓ-સૌરાષ્ટ્રવાસીઓનો તેમને સંદેશ એજ છે કે ભરોસો એટલે ભાજપ. સૌ કોઈ એક મતે ભાજપને વિજેતા બનાવવાનો નિશ્ચય કરી ચૂક્યા છે એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.