Abtak Media Google News

અરવલ્લીના માલુપરમાં આવેલી બક્ષીપંચની છાત્રાલયમાં ધોરણ 8ના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. પોતાની શાળાના ક્લાસમાં જ આ બાળકની લાશ લટકતી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર દોડી આવી છે. પ્રારંભીક ધોરણે આ આત્મહત્યાની ઘટના હોવાનું સામે આવ્યું છે. આ હત્યા છે કે આત્મહત્યા તે પાછળનું કારણ હજુ અકબંધ છે.

Advertisement

મળતી માહિતી મુજબ આ ઘટના અરવલ્લી જીલ્લાના માલપુરના ગોવિંદપુર કંપા ગામની છે જ્યાં બક્ષીપંચ છાત્રાલયમાં આજે શુક્રવારે બપોરે એક ચકચારી ઘટના બની છે. આ ઘટનામાં અહીં અભ્યાસ કરતાં ધોરણ 8ના વિદ્યાર્થીની લાશ મળી આવી છે. આ વિદ્યાર્થીની લાશ છાત્રાલયના રૂમમાંથી જ મળી આવતા આ ઘટના ચર્ચાનો વિષય બની છે. શાળાના જ ક્લાસરૂમમાં બાળકે જો આત્મહત્યા કરી છે તો કયા કારણથી કરી તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

કિશોરની લાશ લટકતી હાલતમાં હતી જે નજીકના ડબારણ ગામનો રહેવાસી હતો. જેના કારણે લાશ અંગેની જાણકારી પોલીસ અને વિદ્યાર્થીના પરિવારને કરવામાં આવી હતી. જ્યારે અહીં તેની માતા અને પરિવારજનો દોડી આવ્યા ત્યારે માતા તો ત્યાં જ ઘટના સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. પોતાના વ્હાલા સંતાનની લાશ નજર સામે પડી હોય અને માતા સ્વસ્થ કેવી રીતે રહી શકે બસ તે જ કારણે અચાનક તેઓ સાવ બેસુદ બન્યા હતા અને બાદમાં બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર માટે તુરંત 108 એમ્બ્યૂલન્સથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.