Abtak Media Google News

શિવસેનાના મુખ્ય નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા રાજકોટના જીમ્મીભાઈ અડવાણી ને શિવસેના ને ગુજરાતના પ્રભારી તેમજ  સતીષ આર. પાટીલ ને ગુજરાત રાજ્ય પ્રમુખ તેમજ સુરેશભાઈ રાવલ ને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરીને નિયુક્ત કરાયેલ હતા.આ અંતર્ગત જીમ્મીભાઈ અડવાણી ધ્વારા સંગઠન ને મજબૂત બનાવવાની નેમ અને લોકપ્રશ્નોને વાચા આપવાના નેમ સાથે સૌરાષ્ટ્ર ના સંયોજક તરીકે જયપાલસિંહ જાડેજા તેમજ રાજકોટ જીલ્લા પ્રમુખ તરીકે ચંદુભાઈ પાટડીયા , જીલ્લા ઉપ પ્રમુખ તરીકે સંજયભાઈ ટાંક , જીલ્લા ઉપ પ્રમુખ તરીકે  નિલેશભાઈ ચૌહાણ  ને હોદ્દદારો તરીકે જાહેર કરાયા હતા.

Advertisement

વધુમાં તેઓઓ જણાવેલ હતું કે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતેથી સંગઠન ની મુહિમ ચલાવશે અને તમામ જીલ્લાઓ અને તાલુકાઓ સાથે ગામે ગામ

શિવસેના નો ભગવો ધ્વજ લહેરાવશે . તેમજ રાષ્ટ્રપ્રેમી , ખંતીલા અને સમાજસેવા ના ભેખધારી યુવાનોને શિવસેના ના હોદેદારો તરીકે જાહેર કરાશે તેમ યાદીમાં જણાવાયું છે .

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.