Abtak Media Google News

આજરોજ તા. ૧.૨.૨૦૨૩અને  બુધવાર અને જયા એકાદશી છે.જયા એકાદશીનું વિશેષ મહત્વ છે જયારે જીવનમાં એવું લાગે કે કોઈ નકારાત્મક ઉર્જા આપણી પર હાવી થાય છે ત્યારે જયા એકાદશીના વ્રતથી આ કોઈ પણ નકારાત્મક ઉર્જાને દૂર કરી શકાય છે આ દિવસે વ્રત પૂર્વક કૃષ્ણ પરમાત્માની આરાધના કરવાથી ભૂત પ્રેત બાધા દૂર થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

આજ રોજ બુધવાર છે. બુધવારે જન્મેલા મિત્રો વ્યાપાર વાણિજ્યમાં સારું કાર્ય કરી શકે છે તથા કોઈ બાબત માં અવિચારી પગલું ભરતા નથી. જીવનને યોગ્ય ગણતરીથી જીવે છે અને દરેક કાર્યનો મનમાં હિસાબ રાખે છે. બુધવારે જન્મેલા મિત્રો પેપરવર્ક, લેખન,વાંચન, લોજીક સમજવામાં, પ્રોગ્રામિંગમાં, પત્રકારત્વમાં,બેન્કિંગ,માર્કેટિંગ અને વીમા તથા આયાત નિકાસ બાબતોમાં સારું પરફોર્મન્સ આપી શકે છે મુદ્રા એટલે રૂપિયાની શક્તિને તે સારી રીતે પિછાણી શકે છે અને તેનો યોગ્ય ઉપયોગ કરે છે.

જો કે બુધવારે જન્મેલા મિત્રોએ વ્યસન બાબત વિશેષ કાળજી રાખવી પડે ક્યારેક વ્યસન કે ખોટી સલાહના કારણે જીવનમાં પ્રશ્નો આવી શકે બુધવારે જન્મેલા મિત્રોને બાળકો વહાલા હોય છે અને તેના માટે એ કઈ ને કઈ કરતા જોવા મળે છે વળી બુધવારે જન્મેલા વ્યક્તિ એક થી વધુ વ્યવસાય કરી શકે છે અને ઘણી બાબતો જીવનમાં રિપીટ કરતા પણ જોવા મળે છે એકંદરે તેમનો સ્વભાવ સૌમ્ય જોવા મળે છે તથા અન્યને મદદ કરનાર અને સારા મિત્ર પુરવાર થાય છે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨ 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.