Abtak Media Google News

મહિલાની ઇચ્છા વિરુધ્ધ શરીર સંબંધ બાધવો,  સહમતિ અને સમર્થન ન હોય તેને કાયદાની વ્યાખ્યામાં બળાત્કાર ગણી શકાય: કર્ણાટક હાઇકોર્ટ

પ્રેમ સંંબંધ દરમિયાન લગ્નની લાલચ દઇ દુષ્કર્મ આચરવામાં આવ્યાના એક બનાવમાં કર્ણાટક હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો જાહેર કરી મહિલાની સહમતિ સાથેના લાંબા ગાળાના સંબંધોને દુષ્કર્મમાં ખપાવી ન શકાય તેમ ઠરાવ્યું છે. મહિલાની ઇચ્છા વિરુધ્ધ શરીર સંબંધ બાંધવામાં આવે તેને અને પિડીતાની સહમતિ કે સમર્થન ન હોય તેવા સંજોગોમા જ કાયદાની વ્યાખ્યામાં બળાત્કાર ગણી શકાય લાંબા ગાળા સુધી શરીર સંબંધ બાધવાની  સહમતિ આપી હોય ત્યારે દુષ્કર્મ ગણી ન શકાય પરંતુ બળાત્કારના ગુના સાથે માર માર્યો હોય અથવા ધમકી દીધા અંગેની કાર્યવાહી થઇ શકે તેમ ચુકાદામાં જણાવ્યું છે.

પાંચ વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખી લાંબા ગાળા સુધી શરીર સંબંધ બાંધવામાં આવ્યો હોય ત્યારે દુષ્કર્મના કેસમાં સહમતિનો સમય ગાળો મહત્વનો બની છે. લગ્નનું પ્રલોભન આપવામાં આવ્યું છે પરંતુ પાંચ વર્ષ સુધી લગ્ન ન કરી વિશ્ર્વાસઘાત કર્યાની બાબત પણ યોગ્ય રીતે બંધ બેસતી ન હોય ત્યારે માત્ર ધાક ધમકી કે માર માર્યા હેઠળ જ કાર્યવાહી થવી જોઇએ તેમ ઠરાવવામાં આવ્યું છે.

બેગ્લુરના એક વ્યક્તિએ સામે તેની જ પ્રેમીકા દ્વારા વિશ્ર્વાસઘાત કરી અવાર નવાર બળાત્કાર ગુજારવાની ઘટનાને સેશન્સ કોર્ટમાં થયેલી કાર્યવાહીને કર્ણાટક હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. લાંબા સમય સુધી પ્રેેમ સંબંધ રાખી પ્રેમી દ્વારા લગ્નની લાલચ દઇને અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવે ત્યારે બંનેની સહમતિ અને સમર્થનથી બેગ્લુરના એક વ્યક્તિએ સામે તેની જ પ્રેમીકા દ્વારા વિશ્ર્વાસઘાત કરી અવાર નવાર બળાત્કાર ગુજારવાની ઘટનાને સેશન્સ કોર્ટમાં થયેલી કાર્યવાહીને કર્ણાટક હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી..

લાંબા સમય સુધી પ્રેેમ સંબંધ રાખી પ્રેમી દ્વારા લગ્નની લાલચ દઇને અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવે ત્યારે બંનેની સહમતિ અને સમર્થનથી શરીર સંબંધ બાંધવામાં આવ્યો છે. પાંચ વર્ષ બાદ પ્રેમ સંબંધમાં વાંધો કે વિવાદ થાય ત્યારે લગ્નનું પ્રલોભન આપી લગ્ન ન કરી બળાત્કાર ગુજારવામાં આવ્યા અંગેની પોલીસમાં નોંધાતી ફરિયાદ અંગે કર્ણાકટ કોર્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ચુકાદાને પાંચ વર્ષ સુધી વિશ્ર્વાસઘાત થયા તે માની શકાય તેવી બાબત નથી જો કે આર્થિક વ્યવહારોમાં લાંબો સમય સુધી વિશ્ર્વાસમાં રહી છેતરપિંડી શકય બને પરંતુ લાંબા ગાળા સુધી વિશ્ર્વાસમાં રહી શરીર સંબંધ બાંધવામાં આવે ત્યારે  વિશ્ર્વાસઘાતની વાત કાયદાના વ્યાખ્યા સાથે શુસંગત ગણવામાં ન આવ્યે ત્યારે દુષ્કર્મનો આક્ષેપ રદ બાતલ જ રહે છે. દુષ્કર્મની ફરિયાદ રદ કરવા માટેના કર્ણાટક હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.શરીર સંબંધ બાંધવામાં આવ્યો છે.

પાંચ વર્ષ બાદ પ્રેમ સંબંધમાં વાંધો કે વિવાદ થાય ત્યારે લગ્નનું પ્રલોભન આપી લગ્ન ન કરી બળાત્કાર ગુજારવામાં આવ્યા અંગેની પોલીસમાં નોંધાતી ફરિયાદ અંગે કર્ણાકટ કોર્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ચુકાદાને પાંચ વર્ષ સુધી વિશ્ર્વાસઘાત થયા તે માની શકાય તેવી બાબત નથી જો કે આર્થિક વ્યવહારોમાં લાંબો સમય સુધી વિશ્ર્વાસમાં રહી છેતરપિંડી શકય બને પરંતુ લાંબા ગાળા સુધી વિશ્ર્વાસમાં રહી શરીર સંબંધ બાંધવામાં આવે ત્યારે  વિશ્ર્વાસઘાતની વાત કાયદાના વ્યાખ્યા સાથે શુસંગત ગણવામાં ન આવ્યે ત્યારે દુષ્કર્મનો આક્ષેપ રદ બાતલ જ રહે છે. દુષ્કર્મની ફરિયાદ રદ કરવા માટેના કર્ણાટક હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.

બેગ્લુરના એક વ્યક્તિએ સામે તેની જ પ્રેમીકા દ્વારા વિશ્ર્વાસઘાત કરી અવાર નવાર બળાત્કાર ગુજારવાની ઘટનાને સેશન્સ કોર્ટમાં થયેલી કાર્યવાહીને કર્ણાટક હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. વિશ્ર્વાસમાં રહી છેતરપિંડી શકય બને પરંતુ લાંબા ગાળા સુધી વિશ્ર્વાસમાં રહી શરીર સંબંધ બાંધવામાં આવે ત્યારે  વિશ્ર્વાસઘાતની વાત કાયદાના વ્યાખ્યા સાથે શુસંગત ગણવામાં ન આવ્યે ત્યારે દુષ્કર્મનો આક્ષેપ રદ બાતલ જ રહે છે.

પીડિતાની અપેક્ષા પુરી ન થાય ત્યારે જ દુષ્કર્મની ફરિયાદ નોંધાય?

માનસિક  પરિપકવતા, સાવચેતી, સમજણ પૂર્વક અને પોતાની મર્યાદા સમજીને શરીર સંબંધ બાધવામાં આવે ત્યારે બળાત્કાર ગણી ન શકાય: એડવોકેટ કમલેશ શાહ

માનસિક પરિપકવતા, સાવચેતી, સાવધાની, સમજણ અને પોતાની મર્યાદાની વાકેફ હોય તેવી મહિલા સાથે સહમતિથી લાંબો સમય સુધી શરીર સંબંધ બાધવામાં આવ્યો હોય ત્યારે બળાત્કારની વ્યાખ્યા સાથે શુસંગત રીતે બંધ ન બેસે તો દુષ્કર્મ કહી ન શકાય. પિડિતાની અપેક્ષા પુરી ન થાય ત્યારે મોટા ભાગની દુષ્કર્મની ફરિયાદ નોંધાતી હોય છે. આવા કેસ માત્ર અનૈતિક સંબંધ જ કહી શકાય તેમ જાણીતા એડવોકેટ કમલેશ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.