સુપ્રીમ કોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરીને એવી માગણી કરવામાં આવી છે કે આઠ રાજ્યમાં હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવામાં આવે. આ અરજી બાદ એ ચર્ચા હવે તેજ થઇ ગઇ છે કે આખરે આ માગણી પાછળનું કારણ શું છે? શું હિંદુઓને પણ કેટલાંક રાજ્યમાં લઘુમતીનો દરજ્જો મળી શકે છે?કોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે જે આઠ રાજ્યમાં લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, જમ્મુ–કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને પંજાબનો સમાવેશ થાય છે. જ્યાં હિંદુઓની વસ્તી ખૂબ જ ઓછી છે અને તેમને ત્યાં લઘુમતીનો દરજ્જો મળે કે જેથી સરકારી સુવિધાઓનો લાભ પણ મળી શકે.અપીલમાં જણાાવાયું છે કે લઘુમતીનો દરજજો નહીં મળવાથી આ રાજ્યમાં હિંદુઓને મૂળભૂત અધિકારોથી વંચિત રહેવું પડે છે. અરજદાર અશ્વિની ઉપાધ્યાયે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ર૦૦રમાં એવો ચુકાદો આપ્યો હતો કે રાજ્ય સ્તરે લઘુમતીઓનો દરજ્જો આપવો જોઇએ. આઠ રાજ્યમાં હિંદુઓની સંખ્યા ખૂબ જ ઓછી છે તેમ છતાં તેમને લઘુમતીનો દરજજો આપવામાં આવ્યો નથી. ર૦૧૧ની વસ્તીગણતરી મુજબ લક્ષદ્વીપમાં ર.પ ટકા, મિઝોરમમાં ર.૭પ ટકા, નાગાલેન્ડમાં ૮.૭પ ટકા, મેઘાલયમાં ૧૧.પ૩, જમ્મુ–કાશ્મીરમાં ર૮.૪૪ ટકા, અરુણાચલ પ્રદેશમાં ર૯ ટકા, મણિપુરમાં ૩૧.૩૯ ટકા અને પંજાબમાં ૩૮.૪ ટકા હિંદુ છે. તેમને લઘુમતીનો દરજ્જો નહીં હોવાથી પાયાની સુવિધાઓ મળતી નથી.
Trending
- કોણીની કાળાશ તમારા હાથની સુંદરતા બગાડી રહી છે..?
- Madhuri Dixit Birthday: ધક ધક ગર્લના ફિલ્મી કરિયરની કહાની
- શું તમે જાણો છો કે તમારા આધાર કાર્ડ સાથે કેટલા ફોન નંબર લિંક છે?
- ચારધામ યાત્રામાં ફસાયેલા ગુજરાતી યાત્રિકોને મુખ્યમંત્રીના સૂચનના પગલે ઉત્તરાખંડ સરકારે જરૂરી સુવિધા પૂરી પાડી
- ઉનાળામાં આ રીતે સનસ્ક્રીન લગાવશો તો ટેનિંગ નહીં થાય…
- બુધવારે આ કાર્ય કરશો તો ક્યારેય પૈસાની સમસ્યા નહીં થાય
- સાવધાન!!!લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબ ઝડપાયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.