શહેરમાં ભક્તિનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલમાં આજે બપોરના સમયે જનરેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની ઘટના બનવા પામી હતી. ત્યારે હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુજબુજથી હોસ્પિટલમાં રહેલા અગ્નિ સામક યંત્ર દ્વારા આગ પર તાત્કાલિક કાબુ મેળવવામાં આવ્યો હતો. જ્યારે આ બનાવની જાણ ફાયર વિભાગને થતા સ્ટાફ વન તાત્કાલિક દોડી આવ્યો હતો અને તેમના દ્વારા પણ આગ બુઝાવવા આવી હતી.બનાવની મળતી માહિતી મુજબ ભક્તિનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલમાં આજ બપોરના સમયે આગ લાગી આવવાની જાણ ફાયર વિભાગને થતા ફાયર નો સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગયો હતો ત્યાં જાણવા મળ્યું હતું કે હોસ્પિટલ ની અંદર આવેલ જનરેટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગતા ની સાથે જ હોસ્પિટલમાં રહેલા સ્ટાફ દ્વારા સતર્કતા વાપરી હોસ્પિટલમાં રહેલા ફાયરના યંત્રો દ્વારા આગ બુજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ થોડી ઘણી આગ રહી જતા તે ફાયર વિભાગના સ્ટાફ દ્વારા કાબુમાં લેવામાં આવી હતી. જેથી હોસ્પિટલના સ્ટાફે સતર્કતા વાપરતા મોટી જાનહાની ટળી હોવાનું જાણવા મળ્યું છે.
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર