આસો વદ એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે.રમા એકાદશી પર રચાશે શુભ યોગ આ ઉપરાંત રમા એકાદશીના દિવસે કન્યા રાશિમાં શુક્ર અને ચંદ્રના સંયોગથી કલાત્મક યોગ બની રહ્યો છે. કેટલીક રાશિઓને કલાત્મક યોગ દ્વારા સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે. માતા લક્ષ્મીના આશીર્વાદ વરસે છે. આ દિવસે સૂર્ય અને મંગળ પણ તુલા રાશિમાં સાથે રહેશે.
વિક્રમ સંવંત 2079ની આ છેલ્લી એકાદશી છે. પુરાણો અનુસાર રમા એકાદશીના ઉપવાસથી ગાયને ઘરમાં રાખવા જેવું જ ફળ મળે છે. આ વ્રત રાખવાથી સમૃદ્ધિ વધે છે. આ વ્રત કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ વર્ષે રમા એકાદશી પર થઈ રહ્યો છે ખૂબ જ શુભ યોગ.
રમા એકાદશી પર રચાશે શુભ યોગ
આ વખતે રમા એકાદશી ગુરુવારે છે, જે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ ઉપરાંત રમા એકાદશીના દિવસે કન્યા રાશિમાં શુક્ર અને ચંદ્રના સંયોગથી કલાત્મક યોગ બની રહ્યો છે. કેટલીક રાશિઓને કલાત્મક યોગ દ્વારા સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે. માતા લક્ષ્મીના આશીર્વાદ વરસે છે.
આ દિવસે સૂર્ય અને મંગળ પણ તુલા રાશિમાં સાથે રહેશે. સૂર્ય-મંગળનો સંયોગ ધરાવનાર વ્યક્તિ પોતાના જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરવા માટે મક્કમ હોય છે.
આ સાથે રમા એકાદશી પર ગોવત્સ દ્વાદશીનો સંયોગ પણ છે. આમાં ગાયની પૂજા કરવામાં આવે છે, તેને વાઘ બારસ પણ કહેવામાં આવે છે. ગાયની પૂજા કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. આ દિવસે પ્રદોષકાલ ગોવત્સ દ્વાદશી પૂજાનો શુભ સમય સાંજે 05.30 – 08:08 કલાકનો છે.