દિવાળીનો તહેવાર વર્ષોથી દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. ધનતેરસથી ભાઈબીજ સુધી ચાલતા આ પાંચ દિવસના ઉત્સવનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. દિવાળીનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારના મહત્વની સાથે તેનો ઇતિહાસ પણ છે. દિવાળીના દિવસે શ્રીરામ ફક્ત અયોધ્યા પરત ફર્યા ન હતા, પરંતુ આ દિવસે માતા દુર્ગાએ કાલીનું સ્વરૂપ લીધું હતું, ભગવાન મહાવીરે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. દિવાળીના દિવસે, પાંડવો તેમના દેશનિકાલ અને અજ્ઞાતવાસથી પાછા ફર્યા હતા.
કારતક મહિનામાં અમાસના દિવસે ક્ષીર સાગર માંથી દેવી લક્ષ્મીજી પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આથી લોકો આ દિવસે ઘરોને શણગારે છે અને માતા લક્ષ્મીનું સ્વાગત અને પૂજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લક્ષ્મી-વિષ્ણુનાં લગ્ન પણ દિવાળીની રાતે થયાં હતા.
રામાયણ સાથે સંકળાયેલા કથાઓ અનુસાર, ત્રેતાયુગમાં કારતક મહિનાના અમાસના દિવસે ભગવાન શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણ સાથે 14 વર્ષના વનવાસ ગાળ્યા બાદ અયોધ્યા પાછા ફર્યા હતા. અયોધ્યાવાસીઓએ તેમના સ્વાગત માટે દીપ પ્રગટાવી મીઠાઇનું વિતરણ કર્યુ હતું. શ્રીરામના પરત આવવાનાં પ્રસંગે દર વર્ષે દીવડાઓ પ્રગટાવી અને મીઠાઇ વહેંચીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણએ ઇન્દ્રની જગ્યાએ ગોવર્ધન પાર્વત (એટલે કે પ્રકૃતિ) ની ઉપાસના શરૂ કરતાં રોષે ભરાયેલા, ઇન્દ્રએ એટલો વરસાદ વરસાવ્યો કે વિનાશ થયો. શ્રી કૃષ્ણએ ત્યારબાદ ઇન્દ્રનું અભિમાન તોડવા માટે ગોવર્ધન પર્વતને આંગળી પર ઉંચકીને ગોકુળવાસીઓની રક્ષા કરી. ત્યારથી, કારતક માસના શુક્લ પક્ષની પ્રતિપદાને ગોવર્ધન પૂજનની પ્રથા મળી.
,
કઠોપનિષદ મુજબ પિતા ઉદ્ધલ ઋષિએ નચિકેતાને યમરાજને દાન આપવાનું કહ્યું હતું. પિતાની આજ્ઞા પાળવા માટે નચિકેતા કારતક મહિનાની અમાસના દિવસે યમલોકમાં પહોંચ્યા, પરંતુ ત્યાં યમરાજ ન મળી શક્યાં, તો નચિકેતાએ ત્યાં રોકાઈ યમરાજના આગમનની રાહ જોવા લાગ્યા… આ જોઈને યમ ખુશ થયા અને ત્રણ વરદાન માંગવા કહ્યું. નચિકેતાએ તેના પિતાનો સ્નેહ, અગ્નિવિદ્યા અને મૃત્યુના રહસ્ય અંગેનું જ્ઞાન માંગ્યું…
એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાએ દીપાવલીના દિવસે મહાકાળીનું સ્વરૂપ લીધું હતું. રાક્ષસોનો નાશ કરતી વખતે, તે દેવતાઓનો વિનાશ કરવા લાગી. ત્યારે મહાદેવ મહાકાળી સમક્ષ સૂઈ ગયા. ગુસ્સામાં શિવજીની છાતી ઉપર ચઢતાની સાથે જ તેમનો ગુસ્સો શમી ગયો. એટલા માટે જ દિપાવલી પર કાલી પૂજા પણ કરવામાં આવે છે.
દિવાળી સાથે સંકળાયેલ સૂર્યની ઉપાસનાનો મહાપર્વ ‘છઠ’ પણ શ્રી રામ સાથે સંકળાયેલ છે. એક માન્યતા અનુસાર ભગવાન રામ અને માતા સીતાએ રાવણ દહન પછી કારતક શુક્લ ષષ્ટિ પર વ્રત કર્યા બાદ સૂર્યદેવની પૂજા કરી હતી. બીજા દિવસે એટલે કે સપ્તમીએ ઉગતા સૂર્યની પૂજા કરીને ધન્યતા અનુભવી હતી… આ છઠપૂજા ભારતમાં ઉત્તરપ્રદેશ, ઝારખંડ, નેપાળ, બિહાર અને ઘણા વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવે છે.
જૈન ધર્મ દિવાળીને ભગવાન મહાવીરના મુક્તિ દિવસ તરીકે ઉજવે છે. એવું માનવામાં આવે છે કે મહાવીરે કારતક મહિનાની અમાસના દિવસે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. આમ, બૌદ્ધ ધર્મના લોકો સમ્રાટ અશોક દ્વારા બૌદ્ધ ધર્મ અપનાવવાની ઉજવણીમાં આ દિવસે દિવાળી ઉજવે છે. આ તહેવારને બૌદ્ધ ધર્મમાં અશોક વિજયાદશમી પણ કહેવામાં આવે છે અને આ તહેવાર મઠોની સજાવટ કરીને અને પ્રાર્થના કરીને ઉજવવામાં આવે છે…