Abtak Media Google News

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન અપહરણ સહિતની ઘટનાઓ બનવા પામી છે.ત્યારે ગઈકાલે શીતલ પાર્ક પાસેના વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને વિધર્મી પિતા – પુત્ર સહિત 5 દ્વારા તેનું અપહરણ કરી ભગાડી જતા તમામ સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.બના અંગેની મળતી માહિતી મુજબ શીતલ પાર્ક પાસેના વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાનું અપહરણ કરી છતાં તેના માતા-પિતા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન આરોપીમાં અમનખાન પઠાણ તેના પિતા રશીદખાન પઠાણ અને ત્રણ અજાણ્યા શખસોના નામો આપ્યા હતા.

Advertisement

ઇન્સ્ટાગ્રામ મારફત સંપર્કમાં આવેલા શખ્સે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો : ગાંધીગ્રામ પોલીસે પાંચ સામે ગુનો નોંધ્યો

જેમાં સગીરાના માતા પિતા દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી અમનખાન પઠાણ(રહે. રીશાલા મસ્જિદ પાછળ, જામ ટાવર,નવી કલેકટર કચેરીની સામે) વાળા સાથે તેની પુત્રી ઇન્સ્ટાગ્રામ મારફત સંપર્કમાં આવી હતી. અને તેમાં બંને વચ્ચે વાતચીત થઈ હતી.ત્યારે તા.20 ના સગીરા તેની બહેનપણી સાથે ઘરેથી રૂપિયા 29,000 લઈ ખરીદી કરવા માટે ગઈ હતી ત્યાં આરોપી પછી આવ્યો હતો અને તેની પાસેથી તમામ રૂપિયા પડાવી લીધા હતા જે બાબતે સગીરાએ તેના માતા-પિતાને જાણ કરતા તેમને આરોપી પાસેથી તમામ રૂપિયા પરત લેવડાવી આપ્યા હતા.

ત્યારબાદ થોડા દિવસ પછી આરોપી અમનખાન પઠાણ અને તેનો પિતા રશીદખાન પઠાણ અને તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સો હનુમાન મોટી પાસે ખસી આવ્યા હતા ત્યારે સગીરા તેની બહેન કોની સાથે હતી ત્યારે તેને બળજબરીથી બાઈકમાં બેસાડી ભગાડી ગયા હતા જેથી ગાંધીગ્રામ પોલીસે સગીરાના માતા પિતા ની ફરિયાદ પરથી પિતા પુત્ર સહિત પાંચ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.