ચૈત્ર સુદ તેરસ એટલે જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી નાં જન્મ કલ્યાણક નો દિવસ. આ પાવનકારી દિવસ ની ભવ્યાતિ ભવ્ય સમગ્ર વિશ્વ ના જૈન સમાજો કરી રહ્યા છે એ જ રીતે ધોરાજી જૈન સમાજ ના ચારે ફિરકા આજ નાં પાવન દિવસ ની ઉજવણી ખુબ જ ઉત્સાહ અને ઉમંગ થી કરી રહ્યા છે. ધોરાજી તપગચ્છ સંઘ ની નીશ્રા માં સોની બજાર માં આવેલ પ્રાચીન શાંતિનાથ ભગવાન નાં જિનાલય થી પ્રભુજી ની પાલખી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પ્રભુજી ના જયજયકાર નાં ગગનભેદી નારા સાથે માર્ગો ગજાવતા શહેર નાં મુખ્ય માર્ગો પર પસાર થઈ સ્ટેશન રોડ પર આવેલ પ્લોટ દેરાસર ખાતે આ શોભાયાત્રા પુર્ણ થઈ હતી. આ શોભાયાત્રા માં તપગચ્છ સંઘ નાં પ્રમુખ વીરાભાઇ સુખડીયા, હિરેનભાઈ મરડિયા, નગીનભાઈ વોરા, નિરંજન યુવા ગ્રુપ નાં ચિરાગભાઈ વોરા, વિપુલભાઈ મહેતા, તેજસભાઇ મહેતા, ભાવેશભાઈ શાહ, ધવલભાઇ સંઘવી, ચેતનભાઈ શાહ, નીરવ વોરા, નરેન્દ્રભાઇ , અરવિંદભાઈ શાહ, મયુર સુખડીયા વગેરે આગેવાનો તથા ચારેય સંઘ નાં ભાઈઓ બહેનો મોટી સંખ્યા માં જોડાયા હતા
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ