રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેર પોલીસ અને આવકવેરા કચેરીના સંયુક્ત ઉપક્રમે તા.૧૮ના રવિવારે રાજકોટ મેરેથોન યોજાનાર છે. જે અંતર્ગત મેયર ડો.જૈમન ઉપાઘ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ આજે રાજકોટવાસીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, અમે દોડવાના છીએ, તમે પણ તમારી તંદુરસ્તી માટે અને શહેરના વિકાસ માટે દોડજો. વધુમાં તેઓએ અપીલ કરતા જણાવ્યું હતું કે, ૧૮ તારીખે કોઇપણ રાજકોટવાસી ઘેર સૂતો ન રહે અને સવારના પ વાગ્યે રેસકોર્સ મેદાન પર પહોંચી જાય. રાજકોટ મેરેથોન માટે અત્યાર સુધીમાં ૬૦,૦૦૦ થી વધુ રજીસ્ટ્રેશન થયેલ છે. આવતીકાલે તા.૧૪ના રોજ રજીસ્ટ્રેશન માટે અંતિમ દિવસ છે.
Trending
- શેરબજારની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો
- વાળમાં હેર ડાઈ લગાવતા પહેલા આ જાણી લેજો
- આમલીનો આ ઉપાય તમારા પેટના દુખાવાને પળવારમાં દૂર કરી દેશે
- જામનગર : બંધ રહેણાક મકાનમાં તસ્કરો ત્રાટક્યા
- Loksabha election 2024 : 10 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચોથા તબક્કાનું મતદાન શરૂ
- ગંગા સપ્તમી ક્યારે છે? જાણો શુભ સમય, અને પૂજા પદ્ધતિ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા