વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની કર્ણાટકની મુલાકાતે છે. પહેલા દિવસે તેઓ શ્રવણબેલગોલા પહોંચ્યા છે. અહીંયા તેમણે એક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ભારત સરકારે સામાન્ય બજેટમાં આયુષ્માન ભારત યોજના હેઠળ એક વર્ષમાં પરિવારને બીમારીના ઇલાજ માટે 5 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. આઝાદી પછી ભારતમાં ઉઠાવવામાં આવેલું આ સૌથી મોટું પગલું છે. આ પહેલા આ રીતે આખી દુનિયામાં કોઇએ નથી વિચાર્યું. આ અમે કર્યું છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસમાં આ મોદીની બીજી કર્ણાટક મુલાકાત છે. તેઓ 4 ફેબ્રુઆરીના રોજ પણ બેંગલુરૂ ગયા હતા. રાજ્યમાં આ જ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ