ગુરુવારની રાતે દાહોદ ઈન્દોર હાઈવે પર બે જીપ વચ્ચે ગોજારા અકસ્માતમાં ઘટનાસ્થળ પર પાંચના મોત નિપજ્યાં. જીપમાં સવાર લોકોમાંથી ૧૦ થી ૧૨ લોકો ઘાયલ થયા હતા. મધ્યપ્રદેશના કાલીદેવી અને ધામરધા ગામના પરિવારના ૧૪ થી ૧૫ સભ્યો પાલિતાણા ખાતે દર્શન માટે ગયા હતા. દર્શન કરી ફરી રિટર્ન આવેતી વખતે ઇન્દોર હાઇવે ઉપર ભીટોડી ગામમાં સામેથી રોંગ સાઇડે આવેલી અન્ય એક જીપે ધડાકાભેર ટક્કર મારી હતી. સમગ્ર ઘટના બનતાં જીપનો બુકડો બોલી ગઈ હતી. જીપમાં સવાર જૈન પરિવારના પાંચ લોકોના મોત થયા તેમજ અન્ય ઘાયલ લોકોને દાહોદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોળીના તહેવારના દિવસે આ કરૂણ ઘટના બની હતી. ત્યારે જૈન પરિવાર માટે ગુરુવારનો દિવસ ભયંકર સાબિત થયો.
Trending
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો
- ગાંધીગ્રામ વિસ્તારની સગીરાને ધાક-ધમકી આપી નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
- અમરેલી : બસ અચાનક પલ્ટી મારતા ગમખ્વાર અક્સ્માત સર્જાયો
- WWE રેસલર્સમાં ધ ગ્રેટ ખલી કરતાં પણ ઊચા છે આ રેસલર્સ
- અટલ સરોવર બુધવારથી લોકો માટે ખુલ્લુ મુકાશે: એન્ટ્રી ફી રૂ.25 રહેશે