Abtak Media Google News

સંપૂર્ણ દેવામાફી સહિત વિભિન્ન માંગોને લઈને અખિલ ભારતીય કિસાન સભા તરફથી કાઢવામાં આવેલો મોર્ચો સોમવારે નાસિકથી મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી ગયો છે. 200 કિલોમીટરની પદયાત્રા કર્યાં બાદ ખેડૂતો વિધાનસભાનો ઘેરાવ કરશે. ખેડૂતોના સમર્થનમાં સત્તારૂઢ શિવસેના અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આવી ગઈ છે. મોડી રાત્રે ખેડૂતોને મળવા પહોંચેલા રાજ ઠાકરેએ કહ્યું કે, “તેઓને જ્યારે મારી જરૂર હશે, હું હાજર થઈ જઈશ.” કોંગ્રેસે પહેલાં જ આ મોર્ચાને સમર્થન આપી દીધું છે. સોમવારે મુખ્યમંત્રી અને ખેડૂત સભાના પ્રતિનિધિ મંડળ વચ્ચે બેઠક થશે.

1 1520825605

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.