રાજુલામાં આજરોજ ધારાસભ્ય અંબરીશ ડેરના સસ્પેશન્સના સમર્થનમાં રાજુલા શહેરમાં સજજડ બંધ રાખેલ હતો. જેમાં કોઈક ટીખળી દ્વારા મો.નં. ૯૬૮૭૪૦૨૦૨૦ પરથી ખોટી અફવા ફેલાવામાં આવલે કે કોંગ્રેસ દ્વારા બંધના એલાન સમયે કોંગ્રેસનાકેટલાક કાર્યકરો દ્વારા મુસ્લીમોને ગાળો આપીને દુકાનોબંધ કરાવવામાં આવેલ છે. જેની સામે મુસ્લીમ સમાજના અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનમાં જઈને પી.આઈ.જાડેજાને લેખીતમાં આવેદન પત્ર આપીને ખોટી અફવા ફેલાવનારા સામે પગલા ભરવાની માંગણી કરવામાં આવેલ છે. તેઓએ એવું પણ જણાવેલ છે કે, પ્રેસ, પોલીસ પોલીટીકસ વોટશેપ ગ્રુપમાં શાંતિ, સુરક્ષા સલામતી નામથી સેવ કરેલ નં. ૯૬૮૭૪૦૨૦૨૦ નામના વ્યંકિત દ્વારા આવો મેસેજ નાખેલ હતો જેની સામે કાર્યવાહી કવા માંગણી કરવામાં આવેલ છે. આ આવેદન પત્ર આપવામાં કનુભાઈ ધાખડા, ઘનશ્યામ લાયણોત્રા દિપક જાલંધરા તથા મુસ્લીમ સમાજના આગેવાને જોડાયેલ હતા.
Trending
- કરિશ્મા કપૂર અને રણવીર સિંહની મટરગસ્તિ
- અહીં લોકો મૃતદેહોના અગ્નિસંસ્કાર કરતા નથી! કારણ ખૂબ વિચિત્ર છે
- ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી યુવાનોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધુ: સર્વે
- ઉનાળામાં તરબૂચ ખાવાની સાથે ચહેરા પર લગાવવાના પણ અઢળક ફાયદા
- સુર્યા પાકમાં પેટમાં દુ:ખાવો થયા બાદ 12 વર્ષીય બાળકનું બેભાન હાલતમાં મોત
- Heat Wave Updates : આકરી ગરમી વચ્ચે IMDએ આપ્યા સારા સમાચાર
- ભગવતીપરામાં નામચીન ગુલીયા ગેંગનો આંતક જમીન મકાનના ધંધાર્થીના હાથ પગ ભાંગી નાખ્યા
- મહારાણા પ્રતાપની વીરતા અને બહાદુરીનો ઇતિહાસ