Abtak Media Google News

સાવરકુંડલામાં મુખ્ય વિસ્તારો માંથી નડતર રૂપ દબાણ પી.આઇ.પી.વી.જાડેજાના માર્ગ દર્શન હેઠળ દુર કરાયા

સાવરકુંડલાના દરેક મોટા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, ત્યારે બધા લોકોને ટ્રાફિક પ્રોબલેમ સહન કરવો પડે છે તેને ધ્યાનમાં રાખી સાવરકુંડલાના પી.આઈ. પી.વી. જાડેજાએ કામગીરી હાથ ધરી.
સાવરકુંડલા નદી બજાર, રજકાપીઠ,મહુવા રોડ સહીતના મુખ્ય વિસ્તારોમા ટ્રાફીકને અડચણ રૂપ પાણી પુરીની લારીઓ અને ફ્રૂટની રેકડીઓ ઉભી હોય જેથી સાવરકુંડલા ટાઉન પી.આઇ.પી.વી.જાડેજાના માર્ગ દર્શન હેઠળ રોડની બંન્ને સાઇડમાં અડચણ રૂપ માલ સામાન અંદર રાખવાની સુચના આપવામાં આવેલ અને ટાઉન પોલીસ સ્ટાફ ના પી.આઇ.પી.વી.જાડેજા  સાથે પી.એસ.આઇ.ખીમસુરીયા,હિંગરાજ સિંહ ગોહીલ, પીયુષભાઇ ઠાકર,રવિરાજ સિંહ, અરવીંદભાઇ આહીર,અજય સિહ,ડ્રાઇવર દિલીપભાઈ, નગરપાલિકા ની ટીમ,અને ટ્રાફીક બ્રીગેડ નીકળી ટીમ દ્વારા અડચણ રૂપ દબાણો દુર કરાયા હતા પોલીસની પ્રસંશનીય કામગીરીને શહેરીજનોને બીરદાવેલ

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.