આજે ભારત બંધના એલાનને પગલે ગઈકાલે અનુ.જાતિ અને અનુ. જનજાતિ વર્ગના લોકો દ્વારા આપવામાં આવેલા ઉપલેટા બંધના એલાનને સંપૂર્ણ નિષ્ફળતા મળી હતી. અનુ.જાતિ અને અનુ.જનજાતિના વર્ગના લોકો દ્વારા ભારત બંધના એલાન અંતર્ગત ઉપલેટા બંધ એલાન સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આપવામાં આવ્યું હતું પણ આજે સવારે શહેરમાં બંધની કોઈ અસર જોવા મળેલ નહોતી. શહેરના રાજમાર્ગો, ભાદર રોડ, નટવર રોડ, સોની બજાર સહિતના વિસ્તારો રાબેતા મુજબ ખુલ્લા રહેવા પામ્યા હતા. શહેરમાં બંધની કોઈ અસર જોવા મળી નહોતી. આજે ભારત બંધના એલાનને પગલે શહેરભરમાં પી.આઈ અલ્પેશ પટેલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. શહેરમાં શાંતીનો માહોલ જોવા મળ્યો હતો.
Trending
- Father’s Day: સમય સાથે પિતા બદલાય છે કે ઉંમર સાથે આપણી સમજણ?
- વિશ્વાસ અને પ્રેમનો સરવાળો એટલે “પિતા”
- આજે ફાધર્સ ડે : જાણો આ દિવસ ઉજવવા પાછળનો ઈતિહાસ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
- ગીર સોમનાથ:સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી
- ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવાની પાકિસ્તાનની મેલી મુરાદને નિષ્ફળ બનાવતી ગુજરાત પોલીસ!
- દિલ્હીમાં જળ સંકટ સામે કોંગ્રેસે ‘મટકા ફોડ’ વિરોધ પ્રદર્શન કર્યું
- મેલોનીને મેલોડી “ભાવી”